Saturday, June 27, 2026
HomeSportsCricket'મારાથી ભૂલ થઈ ગઈ...', કોહલી અંગે ખબર આપનારા દિગ્ગજ ક્રિકેટરે ખોટી માહિતી...

‘મારાથી ભૂલ થઈ ગઈ…’, કોહલી અંગે ખબર આપનારા દિગ્ગજ ક્રિકેટરે ખોટી માહિતી બદલ માંગી માફી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી મુંબઇ: સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી 5 મેચોની સીરીઝ પ્રથમ બે ટેસ્ટ મેચમાં BCCI પાસે બ્રેક માંગ્યો હતો. વિરાટ કોહલી સિરીઝની બાકીની ત્રણ ટેસ્ટ મેચ રમશે કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકાય નહીં. સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. એટલા માટે તે ક્રિકેટથી દૂર છે અને પત્ની અનુષ્કા શર્મા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. હવે ડી વિલિયર્સે હવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને દર્શકોની માફી માંગી છે. ડી વિલિયર્સનું કહેવું છે કે, તેણે વિરાટ-અનુષ્કા કેસને લઈને ફેન્સને ખોટા સમાચાર આપ્યા હતા તેથી તેણે મોટી ભૂલ કરી છે, તેથી તે ચાહકોની માફી માંગે છે.જ્યારે વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેની માતા બીમાર છે પરંતુ થોડા દિવસો પછી વિરાટના મોટા ભાઈએ સોશિયલ મીડિયા પર આ સમાચારને નકારી કાઢ્યા હતા. વિકાસે કહ્યું કે તેની માતા સારી છે અને મીડિયાને ખોટા સમાચાર ન ફેલાવવાની અપીલ કરી. કેટલાક લોકોએ કહ્યું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. એટલા માટે તેણે બ્રેક લીધો છે. લોકોએ અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચારને સાચા માની લીધા જ્યારે એબી ડી વિલિયર્સ આગળ આવ્યા અને કહ્યું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. પરંતુ હવે ડી વિલિયર્સ કહી રહ્યો છે કે તેણે ખોટી માહિતી આપી હતી. ડી વિલિયર્સે કહ્યું કે, ‘પરિવાર ચોક્કસપણે પ્રથમ આવે છે. આ એક પ્રાથમિકતા છે. જેમ મેં મારી યુટ્યુબ ચેનલ પર કહ્યું છે. તે સમયે મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. ત્યારે મેં ખોટી માહિતી આપી હતી જેમાં સત્ય નથી. વિરાટ આ સમયે ક્યાં છે તે કોઈને ખબર નથી. મને આશા છે કે વિરાટ શાનદાર રીતે મેદાન પર પાછો ફરશે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અમે કોહલી પાસેથી બાકીની ટેસ્ટ મેચોમાં રમવાની આશા રાખી શકીએ છીએ. જો કે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, વિરાટ આખી સિરીઝ રમી શકશે નહીં. આમાં કેટલું સત્ય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. વિરાટ છેલ્લીવાર આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here