Wednesday, March 11, 2026
HomeBusinessઆગામી સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં સ્થિરતા જાળવશે તેવી શકયતા

આગામી સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં સ્થિરતા જાળવશે તેવી શકયતા

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

– પરવડી શકે તેવા રહેઠાણ લોન ઉપાડમાં ઘટાડો તથા વૈશ્વિક બેન્કિંગ કટોકટીને ધ્યાનમાં લેવાશે

આગામી એપ્રિલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની મળનારી બેઠકમાં વ્યાજ દર વધારો અટકાવી દેવાય તેવી શકયતા જોવાઈ રહી છે.ગયા વર્ષના મેથી અત્યારસુધીમાં વ્યાજ દરમાં અઢી ટકા વધારો કરાયો છે.  હાલનો ૬.૫૦ ટકાનો દર ફેબુ્રઆરી ૨૦૧૯ બાદની ઊંચી સપાટીએ છે. 

વ્યાજ દરમાં અત્યારસુધી કરાયેલા વધારાની અર્થતંત્ર પર કેવી અસર પડી છે, તેનો રિઝર્વ બેન્ક હવે અંદાજ મેળવી લેવા ધારે છે માટે ફુગાવો ૬ ટકાની ઉપર હોવા છતાં તે રેપો રેટ જાળવી રાખશે તેવી શકયતા વધુ હોવાનું એસબીઆઈ રિસર્ચના એક રિપોર્ટમાં જણાવાયું છે.

પરવડી શકે તેવા ઘરો માટેની લોન ઉપાડમાં ઘટાડો તથા અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીને કારણે પણ વ્યાજ દરમાં સ્થિરતા આવી શકે છે.

વ્યાજ દર વધારવાથી માગ નબળી પડે છે, જેને કારણે ફુગાવો આપોઆપ નીચે આવે છે. ૨૦૨૦ના પ્રારંભમા ંકોરોનાના કાળમાં રેપો રેટ ઘટાડી ૪ ટકા સુધી કરાયો હતો. 

ત્રીજી એપ્રિલથી શરૂ થનારી એમપીસીની આગામી નાણાં  વર્ષની પ્રથમ બેઠકમાં એકોમોડેશન વલણ પાછુ  ખંચાવાનું ચાલુ રહેશે. લિક્વિડિટીની તાણ છતાં આ વલણ પાછું ખેંચાઈ શકે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

કોરોના બાદ આરોગ્ય તથા શિક્ષણ પાછળ ખર્ચ વધતા તથા ઈંધણના ઊંચા ભાવને કારણે પરિવહન ખર્ચ પણ ઊંચો રહેતા ફુગાવો ઘટીને ૫.૫૦ ટકાથી નીચે જવાની શકયતા જણાતી નથી. 

દેશમાં ફુગાવામાં સાધારણ ઘટાડો થયો છે, પરંતુ તે ફેબુ્રઆરીમાં ૬ ટકાથી ઉપર રહ્યો હતો, જે રિઝર્વ બેન્કની ટોચમર્યાદાની બહાર છે. 

લાંબા ગાળાના ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન્વેસ્ટમેન્ટસ પર પૂરા પડાતા ઈન્ડેકસેસન લાભો નાણાં મંત્રાલય દ્વારા પાછા ખેંચાતા બેન્કિંગ વ્યવસ્થામાં થાપણો વધવાની શકયતા જોવાઈ રહી છે,જેને પગલે બેન્કોમાં લિક્વિડિટીમાં વધારો જોવા મળવા અપેક્ષા છે. 

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here