Thursday, May 15, 2025
HomeGujaratછ દિવસમાં માત્ર 109 જ ખેડૂતોની મગફળી ખરીદાઈ

છ દિવસમાં માત્ર 109 જ ખેડૂતોની મગફળી ખરીદાઈ

Date:

spot_img

Related stories

ટાટા મોટર્સ અને વર્ટેલોએ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે આકર્ષક...

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ...

અદાણી સિમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી (ઈન્ડિયા)ની નેશનલ કેપેસિટી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...
spot_img

રાજય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ગત તા.૧પથી મગફળી ખરીદી કરવાની શરૂ કરી હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે ખરીદીમાં કોઈ ગેરરીતી ના થાય તે હેતુથી પુરતી કાળજી રાખી અને ખરીદી કરવામાં આવી રહી છે.

તા.ર૦ સુધીમાં ૧પ૩ર ખેડૂતોના રજીસ્ટ્રેશન સામે માત્ર ૧૦૯ ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી છે. જિલ્લામાં માત્ર દહેગામ એક જ સેન્ટર ફાળવતા ખેડૂતો અને અધિકારીઓની સ્થિતિ કફોડી બની છે.

ગાંધીનગર જિલ્લામાં મગફળી ખરીદી માટે દહેગામ સેન્ટર પસંદ કરવામાં આવ્યું છે. દહેગામમાં આખા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો મગફળી વેચવા માટે આવે છે. શરૂઆતમાં પ૦ સાધનોને મગફળી વેચવા માટે મેસેજ મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ આ આંકડો ઘટાડીને ૩૦ કરવામાં આવ્યો હતો.

પણ પાંચ દિવસમાં માત્ર ૧૦૯ ખેડૂતોની મગફળી ખરીદી થતાં હવે ફરી પ૦ ખેડૂતોને બોલાવવામાં આવી રહયા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે બટાટાની સીઝન આવતી હોવાથી ખેડૂતો પાસે હાલ બિયારણ ખરીદવા પૈસા નથી અને મગફળી જો આ જ ગતિએ ખરીદાશે તો ત્રણ મહિના જેટલો સમય વીતી જશે અને બટાકાની સીઝન જતી રહેશે.

માટે જો જિલ્લાના બીજા સેન્ટરો ઉભા કરવામાં આવે તો ખરીદી ઝડપી બનશે અને ખેડૂતોના પૈસા જે અટવાયા છે તે જલ્દી છુટા થશે માટે ખેડૂતોની લાગણી છે કે જિલ્લાના બીજા સેન્ટરો ઉભા કરવામાં આવે. બીજી તરફ રોજના પ૦ ટ્રેકટર મગફળીની ખરીદીમાં અધિકારીઓની ઠુસ નીકળી જાય છે.

સવારથી લઈને રાતના દસ વાગ્યા સુધી અધિકારીઓ એપીએમસી ખાતે મગફળી ખરીદી કરી અને તેને પેક કરાવી ગોડાઉનમાં ન મોકલે ત્યાં સુધી સ્થળ પરથી ખસાતું નથી. જો જિલ્લા કલેકટર આ બન્ને પક્ષોને ધ્યાનમાં રાખી અને જિલ્લામાં બીજા મગફળી ખરીદી કરવાના સેન્ટર ઉભા કરાવે તો ખેડૂતોને ખુબજ રાહત મળી શકે છે.

peanut gandhinagar selling farmer
Close-up of ripe peanutpeanut gandhinagar selling farmer

ટાટા મોટર્સ અને વર્ટેલોએ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે આકર્ષક...

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ...

અદાણી સિમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી (ઈન્ડિયા)ની નેશનલ કેપેસિટી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here