Monday, May 20, 2024
Homenationalમહાવિકાસ અઘાડીને ખતરો! સાવરકરનું અપમાન સાંખી નહીં લઈએ, રાહુલ ગાંધી પર ભડક્યા...

મહાવિકાસ અઘાડીને ખતરો! સાવરકરનું અપમાન સાંખી નહીં લઈએ, રાહુલ ગાંધી પર ભડક્યા ઉદ્ધવ ઠાકરે

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ભાજપને આડેહાથ લેતાં કહ્યું – તમે તમારી પાર્ટીનું નામ ભ્રષ્ટ જનતા પાર્ટી કેમ નથી કરી લેતા?

કહ્યું – વડાપ્રધાન મોદીની ટીકા કરવી એ દેશની ટીકા કરવી કેવી રીતે ગણાય?

વીર સાવરકર અંગે ટિપ્પણી કરનાર કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાવરકર અંગે ખોટા નિવેદનો આપતા બચવા માટે સીધા શબ્દોમાં ચેતવણી આપી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારને પણ ઘેરી હતી. 

રાહુલ ગાંધીને નસીહત

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું રાહુલ ગાંધીને જણાવી દેવા માગુ છું કે અમે તમારી ભારત જોડો યાત્રામાં એટલા માટે સાથે ચાલ્યા કેમ કે તે લોકતંત્ર બચાવવા માટે જરૂરી હતું પણ સાવરકર અમારા ભગવાન જેવા છે અને અમે તેમનું અપમાન સાંખી નહીં લઈએ. આપણે લોકતંત્ર બચાવવા માટે સાથે છીએ પણ એવા નિવેદન ન આપશો કે એવા પગલાં ન ભરશો જે આપણી વચ્ચે મતભેદ ઊભા કરી દે. 

સાવરકરના યોગદાનને યાદ કર્યું 

તેમણે કહ્યું કે ભાજપ તમને ભડકાવવા પ્રયાસ કરી રહ્યો છે. જો આજે આપણે ચૂકી જઈશું તો આપણો દેશ નક્કી જ એકતંત્ર તરફ આગળ વધી જશે. તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સાવરકરના યોગદાનને યાદ કરતાં કહ્યું કે જે તેમણે સહન કર્યું છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. 

કેન્દ્રીય એજન્સીઓ અંગે કર્યા આકરા પ્રહાર 

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે ભ્રષ્ટ નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે ભાજપે ભ્રષ્ટાચારના આરોપો મૂકી વિપક્ષના તમામ નેતાઓને પોતાની સાથે જોડી લીધા છે. તમે બ્લેકમેઈલિંગ કરી રહ્યા છો. સત્તાની લાલચમાં આ કાર્ય યોગ્ય નથી. તમે તમારી પાર્ટીનું નામ જ બદલીને ભ્રષ્ટ લોકોની પાર્ટી કેમ નથી કરી લેતા. તમારી પાર્ટીનું નામ તો ભ્રષ્ટ જનતા પાર્ટી હોવું જોઇએ. 

આ કોઈ મોદી ભારત નથી 

ઠાકરેએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીની ટીકા કરવાનો મતલબ એ નથી કે અમે ભારતની ટીકા કરી રહ્યા છીએ.  તેમાં દેશનું અપમાન જ થઈ રહ્યું નથી. જો તમે મોદીની ટીકા કરી રહ્યા છો તો તેમાં દેશનું અપમાન કેવી રીતે ગણાય? આ કોઈ મોદી ભારત નથી. 

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here