Tuesday, May 21, 2024
HomeGujaratસુરત મહાનગરપાલિકાના 877 કર્મચારી 9 મહિનાથી વેક્સિન જ લેતાં નથી

સુરત મહાનગરપાલિકાના 877 કર્મચારી 9 મહિનાથી વેક્સિન જ લેતાં નથી

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વર્તાઈ રહ્યો છે. આપણી પાસે હાલ કોરોના સામે લડવા માટે વેક્સિન સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે સુરતમાં મહાનગરપાલિકા લોકોને વેક્સિન લેવડાવવા ધમપછાડા કરીને અવનવા નિયમો બનાવી રહ્યું છે, પરંતુ આજે એક મોટા રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. એટલે કે જે તંત્ર લોકોને રસી લેવા માટે અજીબોગરીબ નિયમો બનાવે છે તે જ તંત્રમાં કેટલાક કર્મચારીઓ રસી લેતા જ નથી અને બહાનાબાજી કરીને છૂટી જાય છે. સુરત પાલિકાના 877 કર્મચારીઓ 9 માસથી રસી જ લેતાં નથી, અને બહાના તરીકે કારણ આપતા જણાવે છે કે, ‘અમને એલર્જી-ઇન્ફેક્શન છે’. સુરત પાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ 100 ટકા વેક્સિનેટેડ છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. જે આ માહિતીનો ભાંડો ફૂટ્યો હતો. તેમાં પ્રથમ અને બીજો ડૉઝ વગરના મળી 7900થી વધુ કર્મચારીઓ મળી આવ્યા હતાં. કર્મચારીઓને ફરજિયાત વેક્સિન માટે તાકીદ કર્યા પછી અત્યાર સુધીમાં ઘણા કર્મચારીઓએ વેક્સિન લઈ લીધી છે. જોકે, હજી પણ 877 કર્મચારીઓ વૅક્સિન વગરના ફરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકાના કુલ 21096 કર્મચારીઓમાંથી 20749એ રસી લીધી છે, એટલે કે હજુ 877 કર્મચારીઓ 9 માસથી વેક્સિન જ લેતા નથી. વેક્સિન નહીં લેનારાઓમાં સૌથી વધુ વર્ગ-2 અને 3ના 66 અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે વૅક્સિનની ટકાવારી 88.28 પર પહોંચી હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે સુરત પાલિકાના 877 કર્મચારીઓ વૅક્સિન વગરના જ છે. તેઓ મેડિકલના કારણમાં ઇન્ફેક્શન-ઍલર્જી અને માંદગી જેવાં કારણો આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં 532 કર્મચારીઓએ તો હજુ સુધી વૅક્સિન નહીં લેવાનું કારણ સુદ્ધાં પણ જણાવ્યું નથી.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here