Sunday, April 20, 2025
HomeGujaratખેડૂતોને મોતના મુખમાં જતા બચાવતુ મશીન, હવે ટેકનોલોજીના ટેરવે ખેતી કરશે ગુજરાતના...

ખેડૂતોને મોતના મુખમાં જતા બચાવતુ મશીન, હવે ટેકનોલોજીના ટેરવે ખેતી કરશે ગુજરાતના ખેડૂતો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

આણંદ :આણંદની આણંદ કૃષિ યુનિવર્સીટીખાતે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શન આયોજિત કરાયુ છે. કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી નાં ઉપયોગ માટે રજુ કરાયેલા ડ્રોન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અનેક ખેડૂતો એ આ ડ્રોન ટેકનોલોજીનાં ઉપયોગનું પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારે હવે એ દિવસો દુર નથી કે ખેડૂતો પણ પોતાની આગવી ડ્રોન ટેકનોલોજીનો પોતાનાં ખેતરમાં ઉપયોગ કરીને સફળ ખેતી કરશે.

સામાન્ય રીતે ખેડૂતો ખેતર ના ઉભા પાકમાં સ્પ્રેથી દવાઓનો છંટકાવ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર ઝેરી દવા ચઢી જતા ખેડુતોની તબિયત લથડતા તેઓનાં મોત થવાનાં કિસ્સાઓ પણ બને છે. તેમજ દવાઓનાં છંટકાવમાં સમય અને શક્તિનો પણ વ્યય થતો હોય છે. તેમજ પાક પર છંટકાવ થતી દવાઓ પૈકી કેટલીક દવાઓનો બગાડ થતો હોય છે. જયારે ડ્રોનથી દવાઓનો છંટકાવ સરળ અને ઝડપી અને ચોક્કસ બને છે. જેનાં કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે. જ્યારે ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છે.

ડ્રોન દ્વારા સ્પોટ બેક્ટેરિયલ ચેપનું મુલ્યાંકન વૃક્ષો પર કરવું આવશ્યક છે. જે ઈન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ કરીને પાકને સ્કેનિંગ કરવામાં આવે છે. ડ્રોન સંચાલિત ઉપકરણો જાણી શકે છે કે પ્રકાશના વિવિધ પ્રકારોમાંથી કયા છોડ લીલા પ્રકાશ દર્શાવી પ્રકાશ પરાવર્તિત કરે છે. આ માહિતી મલ્ટીસ્પેક્ટ્રલ ઈમેજો ઉત્પન્ન કરી શકે છે. જે છોડમાં ફેરફારોને ટ્રેક કરે છે અને તેમના આરોગ્યને સૂચવે છે. વધુમાં જેમ જેમ બીમારી શોધવામાં આવે છે તેમ, ખેડૂતો ઉપચાર વધુ ચોક્કસપણે કરી શકે છે અને તેનું નિરીક્ષણ કરી શકે છે. 

આ બે શક્યતાઓ રોગોને દુર કરીને પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરે છે. વધુમાં પાકની નિષ્ફળતાના કિસ્સામાં ખેડૂતો નુકશાની વીમા દવાઓ માટે વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. તેમજ હાઇપરસ્પેક્ટ્રલ, મલ્ટીસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સર્સ ધરાવતા ડ્રોન એ ઓળખી શકે છે કે ક્ષેત્રના કયા ભાગો સૂકા છે અથવા તેમાં સિચાઈની જરૂર છે. વધુમાં જેમ પાક વધતો જાય છે ત્યાર બાદ ડ્રોનની મદદથી વેજિટેશન ઈન્ડેક્સની ગણતરી કરી શકીએ છે. જે પાકના સંબધિત ઘનતા અને આરોગ્યનું વર્ણન કરે છે અને ગરમીનું પ્રમાણ બતાવે છે કે પાક કેટલી ઉર્જાનો જથ્થો અથવા ગરમીને ઉત્સર્જીત કરે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here