Sunday, May 19, 2024
Homenationalહૈદરાબાદમાં ભાજપના MLA રાજા સિંહની ધરપકડ, લોકોએ માથું ધડથી અલગ કરવાના નારા...

હૈદરાબાદમાં ભાજપના MLA રાજા સિંહની ધરપકડ, લોકોએ માથું ધડથી અલગ કરવાના નારા લગાવ્યા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

હૈદરાબાદ : હૈદરાબાદમાં ભાજપના નેતા ટી રાજા સિંહની મોહમ્મદ પૈગંબર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગોશામહલના ભાજપના ધારાસભ્ય રાજા સિંહે એક વીડિયોમાં પૈગંબરને લઈને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે પાછળથી તેમણે આ વાત મજાકમાં કહી હોવાનું કહ્યું હતું. જોકે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે.લોકોએ સોમવાર-મંગળવાર દરમિયાન રાતથી દેખાવો શરૂ કર્યા હતા, જે મંગળવાર સવાર સુધી ચાલુ રહ્યાં હતા. આ દરમિયાન ટોળાએ ‘ગુસ્તાખે નબી કી એક સજા, સિર તન સે જુદા’ (માથું ધડથી અલગ કરવાની સજા) ના નારા લગાવતા ટી રાજાની ધરપકડની માંગ કરી હતી. તે પછીથી તેમના વિરુદ્ધ દબીરપુરા પોલીસ સ્ટેશનમાં IPCની 295(a), 153(a) સહિતની ઘણી કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી છે. પોલીસે દેખાવકારોમાંથી ઘણા લોકોની ધરપકડ કરી છે.હૈદરાબાદની પોલીસ કમિશ્નર ઓફિસ, ડારેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફિસ અને જૂની પોલીસ કમિશ્નર ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી છે.ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ 27 મેના રોજ એક ટીવી ડિબેટ દરમિયાન પૈગંબર મોહમ્મદ સાહેબ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. નિવેદનના કારણે ભાજપે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં. નૂપુરના નિવેદનના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ હિંસક દેખાવો થયા હતા.સુપ્રીમ કોર્ટે પણ આ અંગે નૂપુર શર્માને ઝટકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે નૂપુરે ટેલિવિઝન પર ધર્મ વિશેષની વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. તેમણે લોકોની ભાવનાઓને ભડકાવી છે અને સમગ્ર દેશમાં જે થઈ રહ્યું છે, તે માટે નૂપુર જ જવાબદાર છે. તેમણે દેશની સુરક્ષા માટે ખતરો સર્જયો છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here