Sunday, May 19, 2024
Homenationalયુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો...

યુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો દાઝ્યાં

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ચોમાસુ સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ચાલુ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વીજળી પડવાના કારણે ઘણાં લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પાણીમાં ડૂબી જવાથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓમાં કુલ 34 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 17, પાણીમાં ડૂબી જવાથી 12 અને ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. તેમાંથી બાગપત, ઇટાવા, ઉન્નાવ, આગ્રા અને બલિયામાં વીજળી પડવાથી 1-1, જાલૌન, કાનપુર દેહાત, કન્નૌજ અને ગાઝીપુરમાં 2-2 અને મૈનપુરીમાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય સંત કબીર નગરમાં 1, બદાયુમાં 2, બરેલીમાં 4 અને રાયબરેલીમાં 5 વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ભારે વરસાદને કારણે એટા, કન્નૌજ અને કૌશામ્બીમાં 1-1 અને મુઝફ્ફરનગરમાં 2 વ્યક્તિનું મોત થયું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં વીજળી પડવા, પાણીમાં ડૂબવા અને ભારે વરસાદને કારણે થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દરેક મૃતકના આશ્રિતોને 4 લાખ રૂપિયાની સહાયનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વિવિધ કુદરતી આફતોમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. રાયબરેલીમાં 8 બાળકો વીજળીની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. આ 8 બાળકો રાયબરેલીના એક જ ગામના છે. જેમાંથી 3 બાળકો ઢોર ચરાવવા ગયા હતા, જયારે 5 બાળકો વરસાદ વચ્ચે ખેતરમાં ડાંગર રોપી રહ્યા હતા. માહિતી મળતાં જ પરિવારજનોએ તમામ બાળકોને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં બાળકોની હાલત નાજુક હોવાથી ડોકટરોએ પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકાની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને વરસાદ દરમિયાન ખુલ્લામાં ન રહેવા અપીલ કરવામાં આવી છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here