Saturday, May 18, 2024
HomeSportsCricketઅમદાવાદમાં રમાશે IPL!: ગાંગુલીએ લીગ રમવાનું સ્થળ નક્કી કરી લીધું, મોદી સ્ટેડિયમમાં...

અમદાવાદમાં રમાશે IPL!: ગાંગુલીએ લીગ રમવાનું સ્થળ નક્કી કરી લીધું, મોદી સ્ટેડિયમમાં પ્લે ઓફ રમાઈ શકે

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ IPL 2022 માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. દાદાએ કહ્યું છે કે આ સિઝનની તમામ લીગ મેચો માત્ર મહારાષ્ટ્રમાં જ રમાશે. ત્યારપછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેઓફ મેચોનું આયોજન કરાઈ શકે છે. જોકે BCCIએ હજુ સુધી IPL 2022 માટે સ્થળ નક્કી કર્યું નથી, પરંતુ આ વખતે IPL ભારતમાં રમાય તેવી પૂરી સંભાવના છે. અગાઉ, IPL 2020 અને IPL 2021ની હાફ સિઝન UAEમાં રમાઈ હતી, પરંતુ આ સિઝનમાં BCCI UAEમાં IPLનું આયોજન કરાવવા માગતું નથી.સૌરવ ગાંગુલીએ સ્પોર્ટ્સ સ્ટાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે IPL 2022ની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાશે. આ તમામ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પુણેના મેદાનમાં રમાઈ શકે છે. જ્યારે પ્લેઓફ મેચો માટે કયું શહેર અને સ્ટેડિયમ પસંદ કરાશે એ અંગે જાણકારી ટૂંક સમયમાં રજૂ કરાશે. તેવામાં અમદાવાદમાં સ્થિત વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આ રેસમાં સૌથી આગળ છે. અહીં પ્લે ઓફની મેચ રમાઈ એવી સંભાવના વધારે જણાઈ રહી છે.BCCIએ IPL 2020 સંપૂર્ણ સિઝન અને IPL 2021ની અડધી સિઝન UAEમાં આયોજિત કરી હતી. આ સિવાય T20 વર્લ્ડ કપ 2021નું પણ દુબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે અમીરાત ક્રિકેટ બોર્ડને IPL 2020 અને 2021ની હાફ સિઝનની યજમાની કરવા માટે 150 કરોડ રૂપિયા આપ્યા હતા.બીજી બાજુ જોવા જઈએ તો UAEમાં માત્ર 3 મેદાન જ છે અને અહીં ઝાકળનું પ્રમાણે વધારે હોવાથી રાત્રે બીજી બોલિંગ કરતી ટીમને મુશ્કેલી પડી શકે છે. જેથી ટોસનું મહત્ત્વ વધી જાય છે. વળી તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં પણ ટોસ જીતનારી ટીમે મોટાભાગની મેચો જીતી હતી. આનાથી ક્રિકેટનો રોમાંચ સમાપ્ત થઈ જાય છે. આ જ કારણ છે કે BCCI UAEમાં IPL કરાવવા માગતું નથી.મેગા ઓક્શન પહેલા BCCIના સૂત્રોએ ANIને જણાવ્યું છે કે બોર્ડ IPL 2022ની સિઝનનનું આયોજન ભારતમાં જ કરશે, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા એકપણ દર્શકને સ્ટેડિયમમાં મેચ જોવાની અનુમતિ મળશે નહીં. 22 જાન્યુઆરી, શનિવારે BCCI અને ફ્રેન્ચાઈઝીના માલિકો વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આની સાથે જ બોર્ડ હવે મુંબઈના 3 સ્ટેડિયમ- વાનખેડે, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI),ડીવાઈ પાટિલ તથા જરૂર જણાશે તો પુણેમાં જ આખી સિઝનનું આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here