Saturday, May 18, 2024
HomePoliticsમોદીના પૂર્વ મંત્રી બનશે ગવર્નર!: રવિશંકર પ્રસાદ તામિલનાડુના રાજ્યપાલ બને એવી શક્યતા

મોદીના પૂર્વ મંત્રી બનશે ગવર્નર!: રવિશંકર પ્રસાદ તામિલનાડુના રાજ્યપાલ બને એવી શક્યતા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી: મોદી કેબિનેટમાંથી હટાવવામાં આવેલા રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવાની અટકળો છે. સ્થાનિક મીડિયાએ માહિતી આપી છે કે રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જોકે આ અંગેની અધિકારિક જાહેરાત થવાની બાકી છે.જોકે આ અંગે અત્યારસુધીમાં સંગઠન કે સરકાર તરફથી કંઈ જ કહેવામાં આવ્યું નથી, જ્યારે પ્રસાદ તરફથી આવી કોઈ માહિતી મળી નથી. તામિલનાડુમાં હાલ બનવારીલાલ પુરોહિત ગર્વનર છે.મોદી કેબિનેટમાંથી હટાવવામાં આવેલા મોટા ચહેરાઓમાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને સંગઠનમાં કોઈ મોટું પદ આપવાની ચર્ચા પહેલેથી ચાલી રહી છે. એવામાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાની પાર્ટી મહાસચિવની સાથેની બેઠક પછી રવિશંકર પ્રસાદની તામિલનાડુના રાજ્યપાલ તરીકે નિમણૂકની વાત કહેવાઈ રહી છે.પાર્ટીનાં સૂત્રોનો દાવો છે કે આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને સંગઠનમાં રાષ્ટ્રીય મહાસચિવ કે ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કેન્દ્રીય કેબિનેટમાં થયેલી ફેરબદલમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્ર યાદવને સામેલ કરવામાં આવ્યા છે. એવામાં તેમની જગ્યાએ કોઈ મજબૂત અને અનુભવી નેતાને સ્થાન મળી શકે છે. પ્રસાદ અને જાવડેકર પહેલાં પણ પાર્ટી સંગઠનમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે.રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવશે તો તે થાવરચંદ ગેહલોત પછી ગવર્નરની જવાબદારી સંભળનારા બીજા નેતા હશે. ગેહલોતે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું કે તરત તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રસાદ અને જાવડેકરને મહત્ત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here