Monday, May 20, 2024
HomeGujaratગૌણ સેવાના Paper leak: અસિત વોરાએ એક લીટીમાં કહી દીધું; અમને કોઈ...

ગૌણ સેવાના Paper leak: અસિત વોરાએ એક લીટીમાં કહી દીધું; અમને કોઈ પુરાવા નથી મળ્યા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ગાંધીનગર :ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના થયા બાદ સરકારી તંત્ર દોડતું થયુ છે. એક તરફ પરીક્ષા આપનાર 88 હજાર ઉમેદવારનું ભાવિ જોખમમાં છે, ત્યાં બીજી તરફ, મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, અત્યાર સુધી પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી, ન તો કોઈ ફરિયાદ અમારી પાસે આવી છે. છતાં જો ગેરીરિત થયેલી હશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે. 

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરીક્ષા નિષ્પક્ષ રીતે લેવાય તેવા તમામ પ્રયાસો કરાયા છે. ટ્રાન્સપરન્ટ પરીક્ષા લેવાય તેવા મંડળ દ્વારા સતત પ્રયાસો રહ્યાં છે. તેથી પરીક્ષાર્થીઓ નિશ્ચિંત રહે. પરીક્ષા પારદર્શિતાથી લેવાઈ છે. તાજેતરમાં હેડ ક્લાર્કના 186 જેટલી જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્વક પરીક્ષા લેવાઈ હતી. બીજા દિવસે અમને પેપર લીક થયાના સમાચાર મળ્યા હતા. અમે મંડળે નિર્ણય કર્યો હતો કે, સાંજ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી છે કે કેમ. પરંતુ અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા નથી. સાંબરકાંઠાનું પોલીસ તંત્ર સતર્ક થયું છે. અમે તમામ માહિતી સાબરકાંઠાના અધિકારીઓને પહોંચાડી છે. 16 જેટલી ટીમ જ્યા જ્યા શક્યતા હતી, તે તમામ જગ્યાએ તપાસ કરી રહી છે. હાલ સઘન તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી અમને કોઈ લેખિત ફરિયાદ મળી નથી. તેમણે વધુમાં કહ્યું કે, આજે સવારે ગૃહ રાજ્યમંત્રી સાથે મીટિંગ થઈ, તેમજ આ મામલે પોલીસ તંત્ર સાબદુ છે. કોઈ ગેરરીતિ જણાશે તો તંત્ર પગલા લેશે. ગેરરીતી થઈ હશે તો બક્ષવામાં નહિ આવે. તમામ લેવલે સંપર્ક કરીને પરીક્ષાની સિસ્ટમ અંગે ચકાસણી કરાશે. તેમજ તેમણે કહ્યું કે, અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા આવ્યા નથી. અમારી પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા આવ્યા નથી. ગૃહરાજ્ય મંત્રીએ ખાતરી આપી કે દોષિતોને નહિ છોડાય.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here