Saturday, May 18, 2024
HomeGujarat'પહેલો સગો પાડોશી' કહેવત ખોટી ઠરી; સુરતમાં 1 વર્ષમાં બાળકી-સગીરા પર દુષ્કર્મના...

‘પહેલો સગો પાડોશી’ કહેવત ખોટી ઠરી; સુરતમાં 1 વર્ષમાં બાળકી-સગીરા પર દુષ્કર્મના 41માંથી 24 કેસમાં પાડોશી-સંબંધીઓ જ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

શહેરમાં છેલ્લા 1 વર્ષમાં જ નાની બાળકીઓથી લઈ કિશોરીઓ પર રેપના 41 ગુનાઓમાંથી 24 કેસમાં હવસખોરો પાડોશી જ છે. બાકી અમુક ગુનાઓમાં આરોપી તરીકે સગા બાપ કે સંબંધી માસા, ફુવાનો ભાઈ કારખાનેદાર, પ્રેમી તેમજ માજી કોર્પોરેટરનો ભત્રીજો છે. કેટલાક કેસમાં તો બાળકીને ગર્ભવતી પણ બનાવી દેવામાં આવી છે, જ્યારે અમુક કેસોમાં નોકરી અપાવવાના નામે કિશોરીઓનું શોષણ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે.

નાની બાળકી પર થયેલા બળાત્કારના એક કેસમાં પાડોશી યુવક એકલો રહે છે અને બાળકી એકલી હોય તેવા સમયે તેને ચોકલેટ બિસ્કિટ, પૈસા જેવી લાલચ આપી શિકાર બનાવી હતી. પાંડેસરા અને હજીરામાં બે કિસ્સાઓમાં તો નરાધમે નાની બાળકીને પીંખી નાખી કરપીણ હત્યા પણ કરી છે. આવા કેસોમાં સુરતની કોર્ટે ફાંસીની પણ સજા ફટકારી છે.

ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા
ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા છે. ખાસ કરીને માસૂમ બાળકીઓ પર થતા બળાત્કાર અને ત્યાર બાદ તેમની હત્યા કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા નરાધમોને બોધપાઠ ભણાવવા માટે સ્થાનિક કોર્ટ પણ ઝડપી ચુકાદા આપી રહી છે, જે એક સારું પાસું છે. જો કે, પોલીસના ચોંપડે નોંધાયેલા આંકડા જ દર્શાવી રહ્યા છે કે, બાળકી કે તરૂણીઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં મોટા ભાગે સગાસંબંધી કે પરિચિત વ્યક્તિ જ આરોપી હોય છે.​​​​​ખાસ કરીને શ્રમજીવીઓના વિસ્તારોમાં નાની બાળકીઓને નરાધમો સરળતાથી નિશાન બનાવી લેતા જોવા મળી રહ્યા છે, કારણ કે, અહીં માતા-પિતા મોટા ભાગે મજૂરી કામે ગયા હોવાથી તેમજ બાળકીઓ ઘરની બહાર રમતી હોવાથી તેમની દેખરેખ માટે આસપાસ ભાગ્યે જ કોઈ રહેતું હોય છે. આથી નરાધમો બાળકીઓનું અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કરતા પણ અચકાતા નથી. કેટલાક ગુનાઓમાં તો તરુણીને ગર્ભવતી પણ બનાવી દેવાઈ છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here