Sunday, May 19, 2024
HomePolitics'..તો અમે પણ બનાવીશું ન્યૂક્લિયર બોમ્બ', સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની...

‘..તો અમે પણ બનાવીશું ન્યૂક્લિયર બોમ્બ’, સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ધમકી

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી : સાઉદી અરબ (Saudi arabia) ના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સાઉદી અરબનો હરીફ દેશ ઈરાન પરમાણુ બોમ્બ તૈયાર કરી લેશે તો તે પણ પરમાણુ બોમ્બ (Nuclear Bomb) બનાવી લેશે. તેમણે કહ્યું કે જો ઈરાન પાસે એક બોમ્બ હશે તો અમારી પાસે પણ એક હોવો જોઈએ. તેમને એક વીડિયો ક્લિપમાં આ ટિપ્પણી કરતાં સાંભળી શકાય છે. મોહમ્મદ બિન સલમાને કહ્યું કે જ્યારે પણ કોઈ દેશ પરમાણુ હથિયાર મેળવી લે છે તો બીજો દેશ ચિંતિત થાય છે. જોકે કોઈપણ દેશને પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈ દેશ આવું કરે તો તેને આખી દુનિયા વિરુદ્ધ યુદ્ધ સમાન માનવામાં આવે છે. તેમણે કહ્યું કે દુનિયા બીજું હિરોશિમા જોઈ નહીં શકે. જો દુનિયા 100,000 લોકોને મરતા જોશે તો તેનો મતલબ એ છે કે તમે બાકી દુનિયા સાથેના યુદ્ધમાં સામેલ છો. ઉલ્લેખનીય છે કે 2015ની ઈરાન પરમાણુ સમજૂતીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તોડી નાખી હતી. તેના પછી 2020માં નવા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ જો બાયડેને પણ ઈરાન પરમાણુ સમજૂતી પર ધ્યાન ન આપ્યું જેના બાદથી ઈરાને તેના પરમાણુ પ્રોગ્રામમાં ઝડપ લાવવાની શરૂઆત કરી હતી.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here