Tuesday, May 21, 2024
HomeGujaratAhmedabadધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ થવા ટોકન લેવું પડશે

ધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ થવા ટોકન લેવું પડશે

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

હાઇકોર્ટના સ્પષ્ટ આદેશો અને સૂચનો બાદ આખરે કોર્પોરેશનને કોરોનાને લગતી તેની તમામ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવો પડ્યો છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોર્પોરેશન સહિત તમામ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીએ હવે 108માં જવું ફરજિયાત નથી. ખાનગી વાહનમાં જશે તોપણ હોસ્પિટલે દર્દીને દાખલ કરવો પડશે. જ્યારે આધાર કાર્ડની પણ જરૂર નહીં પડે. ગુરુવાર સવારથી આ નિર્ણય લાગુ પડશે. કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાનાં રહેશે. 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે, જેથી મ્યુનિ.ના આ નિર્ણયથી શહેરમાં વધુ 1 હજાર બેડનો વધારો થશે.મારે સૌથી પહેલા રાજ્ય સરકારના પોર્ટલ પર જોઇ લેવાનું રહેશે કે તમારે માટે કઇ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ છે. જો ત્યાં તમને બેડ ઉપલબ્ધ હોવાનું જણાય તો તમારે તેને આધારે સંબંધિત હોસ્પિટલમાં જઇને દાખલ થવાનું રહેશે. બીજી તરફ હોસ્પિટલની બહાર પણ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યાં હશે, જ્યાં કેટલાં બેડ ઉપલબ્ધ છે એની માહિતી આપને મળી રહેશે. એને આધારે પણ તમે જ્યાં બેડ ઉપલબ્ધ હોય એ હોસ્પિટલમાં દાખલ થઇ શકશો.યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ઊભી કરાયેલી 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિશન લેવા માટે દર્દીનાં સગાંએ ફોર્મ ભરી કોરોના રિપોર્ટ અને અન્ય રિપોર્ટ આપીને ટોકન લેવાનું રહેશે. સવારે 8થી 9ના ગાળામાં હોસ્પિટલની બહારથી ફોર્મ લેવાનું રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે ટોકન લઈને આવવાનું રહેશે. જે દર્દીનું ઓક્સિજન લેવલ 92 ટકાથી ઓછું હશે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા અપાશે. જેટલાં બેડ પ્રવેશપાત્ર હશે એટલાં જ ટોકન ફાળવવામાં આવશે. ખાલી બેડની વિગત ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકાશે.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here