Wednesday, June 26, 2024
HomeBreaking Newsદાર્જિલિંગમાં માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી

દાર્જિલિંગમાં માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી

Date:

spot_img

Related stories

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...

સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ...

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્ની એ કરી આત્મહત્યા,

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21...

કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી...

હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં...

દામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

દામનગર શહેર માં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ની...
spot_img

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સોમવારે સવારે લગભગ 9 વાગ્યે એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસ (13174)ને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસના 3 ડબ્બાને ભારે નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં બે લોકો પાઇલટ અને એક ગાર્ડ સહિત 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 60 લોકો ઘાયલ છે. ગેસકટર વડે ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ માલગાડીના એન્જિન પર હવામાં લટકી ગયો હતો. જ્યારે અન્ય બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. NDRF અને SDRF સહિત રેલવે અને બંગાળના અધિકારીઓ પણ બચાવ કાર્યમાં લાગેલા છે. કંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. રેડ સિગ્નલના કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલિગુડીના રંગપાની સ્ટેશન પાસે રૂઈધાસા ખાતે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી માલગાડીએ ટક્કર મારી હતી. એવી આશંકા છે કે માલગાડીના પાઈલટે સિગ્નલની જોયું નહીં હોય, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આશંકા છે કે માલગાડીના પાઇલટે સિગ્નલની અવગણના કરી હતી, જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો માલગાડીના એન્જિન પર ચડી ગયો હતો. જ્યારે અન્ય બે કોચ પાટા પરથી ઊતરી ગયા હતા.

PM મોદીએ મૃતકો પર દુઃખ વ્યક્ત કરતા તેમના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...

સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ...

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્ની એ કરી આત્મહત્યા,

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21...

કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી...

હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં...

દામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

દામનગર શહેર માં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here