Wednesday, March 18, 2026
HomeGujaratAhmedabadમેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના...

મેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત

Date:

spot_img

Related stories

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...
spot_img

સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી: ઝેવિયર્સનો ધો.2નો વિદ્યાર્થી સંક્રમિત
સ્કૂલ દ્વારા વર્ગખંડને સેનિટાઈઝ કરવામાં આવ્યો: અન્ય વિદ્યાર્થીઓને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાની સલાહ
શહેરની સ્કૂલમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. મેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીની માતાએ મંગળવારે સ્કૂલમાં આવીને જાણ કરતા જે વર્ગમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો તે ક્લાસ વહેલો છોડી દેવાયો હતો. ત્યારબાદ વર્ગને સેનિટાઈઝ સહિતની કાર્યવાહી કરાઈ છે. વિદ્યાર્થી છેલ્લા પાંચેક દિવસ પહેલા સ્કૂલમાં આવ્યો હતો. તેમ છતાં સ્કૂલ દ્વારા અન્ય કોઈ વિદ્યાર્થીઓને લક્ષણો જણાય તેમને ટેસ્ટ કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોનાની ત્રીજી લહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. તેમાં પણ ખાસ કરીને સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ વધુ હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત થયા હતા. જોકે, ત્રીજી લહેર પૂર્ણ થયા બાદ જનજીવન સામાન્ય થયું હતું અને સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ થઈ હતી. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો કાબુમાં હોઈ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

જોકે, આ દરમિયાન અમદાવાદની સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવતા દોડધામ મચી ગઈ છે. મેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. સ્કૂલ દ્વારા કોરોના સંક્રમણનો કેસ નોંધાતા વર્ગમાં સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પણ તકેદારીના ભાગરૂપે લક્ષણ જણાય તો કોરોનાના ટેસ્ટ કરાવી લેવાની સલાહ અપાઈ હતી. સ્કૂલના જે વિદ્યાર્થીને કોરોના થયો છે તે વિદ્યાર્થી નિયમિત ન હોવાનું સામે આવ્યું છે અને છેલ્લે પાંચેક દિવસ પહેલા સ્કૂલે આવ્યા બાદ તે સ્કૂલે આવ્યો ન હતો. તેમ છતાં સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને લક્ષણ જણાય તો ટેસ્ટ કરવા માટેની સૂચના આપી છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને શરદી, ખાંસી કે તાવ આવતો હોય તેમને સ્કૂલે ન આવવા માટે પણ સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, સ્કૂલમાં 18 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે હાલમાં જો વિદ્યાર્થી સ્કૂલે આવવા ન માગતા હોય તો પણ તેમના અભ્યાસ પણ અસર થાય તેમ નથી. જેથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા સુધી સ્કૂલે આવવા માગતા હોય તેઓ આવી શકે છે. આગામી સપ્તાહથી સ્કૂલમાં વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થવાનો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવીને જ પરીક્ષા આપવાની રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, ત્રીજી લહેર બાદ ફરી સ્કૂલમાં કોરોના સંક્રમણનો કેસ આવતા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

તેના વર્ગના વિદ્યાર્થીઓને લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે

વિદ્યાર્થી છેલ્લા 10 દિવસથી સ્કૂલે નિયમિત આવતો ન હતો, તેને તાવ પણ આવતો હતો, તેની માતાએ સ્કૂલે આવીને કોરોના સંક્રમણ થયું હોવાની જાણ કરતા વિદ્યાર્થી જે વર્ગમાં ભણતો હતો તે વર્ગના વિદ્યાર્થીઓને લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવા માટે સૂચના આપી છે. ઉપરાંત વિદ્યાર્થીની તબીયત સારી ન હોય તો સ્કૂલે ન મોકલવા માટે પણ કહ્યું છે. સ્કૂલની 18મીથી શરૂ થતી પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે. ગુરૂવાર અને શુક્રવારના રોજ રજા છે અને શનિવારે સ્ટડી હોલીડે આપી દેવાશે. જેથી આ સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકશે.- ફા. અમલરાજ (પ્રિન્સિપાલ, સેન્ટ ઝેવિયર્સ-લોયલા)

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here