Tuesday, August 4, 2026
HomeSportsવિરાટ કોહલીએ પોતાના પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો

વિરાટ કોહલીએ પોતાના પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

 દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં શાનદાર સદી (135 રન) ફટકારીને ભારતને 17 રને વિજય અપાવનાર સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના સંભવિત પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની વાપસી અંગેની અટકળોને રદિયો આપતા કોહલીએ ભારપૂર્વક જણાવ્યું કે તે ભારત માટે ફક્ત એક જ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો 0-2થી ક્લીન સ્વીપ થયા બાદ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાં ફરી જોડાવાની અટકળો વધી હતી, જેના પર હવે ખુદ કોહલીએ સ્પષ્ટતા આપી છે.રાંચીમાં રમાયેલી વનડેમાં વિરાટ કોહલીએ 120 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા હતા. તેની શાનદાર સદીના આધારે ભારતે 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. કોહલીને તેના આ પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં જ્યારે વિરાટ કોહલીને તેના ભવિષ્યના ક્રિકેટ પ્લાન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ટેસ્ટમાં વાપસીની અટકળોનો અંત લાવ્યો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ફક્ત એક જ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે, ત્યારે તેણે કહ્યું, ‘હા, તે હંમેશા આવું જ રહેશે. હું ફક્ત એક જ ફોર્મેટ રમી રહ્યો છું.’

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here