Sunday, May 19, 2024
HomeWorldરશિયાનુ ક્રૂડ ઓઈલ રિફાઈન કરી યુરોપમાં વેચવા બદલ ભારત સામે કાર્યવાહીની માંગ,...

રશિયાનુ ક્રૂડ ઓઈલ રિફાઈન કરી યુરોપમાં વેચવા બદલ ભારત સામે કાર્યવાહીની માંગ, જયશંકરે આપ્યો આવો જવાબ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

છેલ્લા એક વર્ષથી ભારત  રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદીને તેમાંથી પેટ્રોલ ડિઝલ બનાવીને યુરોપને એક્સપોર્ટ કરી રહ્યુ છે. 

ભારતના વેપાર સામે યુરોપિયન યુનિયનના વિદેશ તેમજ સુરક્ષા નીતિના પ્રમુખ જોસેફ બોરેલને વાંધો પડી ગયો છે. જોસેફનુ કહેવુ છે કે, યુરોપિયન યુનિયને રશિયાનુ પેટ્રોલ ડીઝલ યુરોપમાં વેચવા બદલ ભારત સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, રશિયા પાસેથી ભારત મોટા પાયે ઓઈલ ખરીદી રહ્યુ છે અને તેમાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવીને્ યુરોપને વેચી રહ્યુ છે તે વાત અમને ખબર હતી. તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. જો રશિયન ઓઈલ આડકતરી રીતે પેટ્રોલ અને ડિઝલ સ્વરૂપે યુરોપમાં આવે છે તો તે નિશ્ચિત પણે પ્રતિબંધોનુ ઉલ્લંઘન છે. આ માટે યુરોપિયન યુનિયનના સભ્યોએ કોઈ નિર્ણય તો લેવો પડશે. 

બોરેલે આ વાત ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની બેઠક પહેલા કરી હતી. જોકે જયશંકરે તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, યુરોપિયન યુનિયનના નિયમો અંગે મને જે સમજ છે તે પ્રમાણે રશિયાનુ ક્રૂડ ઓઈલ અન્ય દેશમાં જો રિફાઈન થતુ હોય તો તેને રશિયન ઓઈલ માની શકાય નહી. 

ઉલ્લેખનીય છે કે, ભારતની રિફાઈનરીઓએ ડિસેમ્બર અને એપ્રિલની વચ્ચે યુરોપમાં લગભગ 2. 80 લાખ બેરલ પ્રતિ દિવસ પ્રમાણે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી છે. જે ગયા વર્ષ કરતા પ્રતિ દિવસ 1. 70 લાખ બેરલ વધારે છે. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here