Monday, May 20, 2024
Homenationalરાફેલના મુદ્દે ખુલાસો કરવા ભાજપે 70 જગ્યાએ પત્રકાર પરિષદ યોજી

રાફેલના મુદ્દે ખુલાસો કરવા ભાજપે 70 જગ્યાએ પત્રકાર પરિષદ યોજી

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ભાજપના રાહત મળતાં સુરત સહિત દેશના ૭૦ જગ્યાએ ભાજપે કોંગ્રેસના આક્ષેપનો ખુલાસો કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. સુરત ખાતેની પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીની સરખામણી હિટલરના પ્રચાર મંત્રી જોસેફ ગોયબલ્સ સાથે કરી રાહુલ ગાંધી જુઠ્ઠાણા ચલાવી રહ્યાનું જણાવ્યું હતું. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રાહુલ ગાંધીની હરકતના કારણે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટ, સંસદ અને લોકોની માફી માગવી જોઈએ તેમ કહ્યું હતું.

સુરતના ભાજપ કાર્યાલય ખાતે રાફેલના ખુલાસા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહલલાલ ખટ્ટરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ખટ્ટરે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે દેશ અને દુનિયામાં ભાજપનો ડંકો વાગી રહ્યો છે. કોંગ્રેસ ભાજપના માહોલથી ગભરાઈ જઈને બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે.

રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના સુચના બાદ કોંગ્રેસનું જુઠ્ઠાણું બહાર આવી ગયું છે. તેથી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ, મીડિયા, પ્રજા અને સંસદની માફી માગવી જોઈએ. રાહુલ ગાંધી હિટલરના પ્રચાર મંત્રી જોસેફ ગોયબલ્સની જેમ વારંવાર જુઠ્ઠુ બોલી લોકોને તે વાત સાચી છે તે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલ યોજાયેલી ચુંટમીમાં ત્રણ રાજ્યમમાં ભાજપની હાર થઈ તે મુદ્દો રાફેલ મુદ્દો નથી.

અન્ય મદ્દાઓ છે ભાજપની હારનું અંતર ઘણું જ ટુંકુ છે તે પણ બહાર આવ્યું છે. મધ્યપ્રદેશમાં ભલે કોંગ્રસની સરકાર બની છે પણ એક વર્ષ પુરૃ થશે ત્યારે જ તેમને અભિનંદન આપીશ કારણ આ સરકાર એક વર્ષ પણ ટકી શકે તેમ નથી. દેશની સુરક્ષાને ધ્યાને રાખીને રાફેલની ખરીદી કરવામાં આવી છે તેમાં કઈ ખોટું થયું નથી. રાફેલ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે પણ કોંગ્રેસ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી. સંસદમાં રાફેલ મુદ્દે ચર્ચા કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here