Sunday, May 19, 2024
Homenationalવિદેશી વકીલોને કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી નહીં, બાર કાઉન્સિલે વકીલોને આપ્યું આશ્વાસન

વિદેશી વકીલોને કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી નહીં, બાર કાઉન્સિલે વકીલોને આપ્યું આશ્વાસન

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

તે ફક્ત વિદેશી અને આંતરરાષ્ટ્રીય કાયદાના સંબંધમાં તેમના ગ્રાહકોને સલાહ આપી શકશે

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ રવિવારે ભારતીય વકીલોને ખાતરી આપી હતી કે વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને કોઈપણ કોર્ટ અથવા ન્યાયિક ફોરમમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તે ફક્ત વિદેશી અને આંતરરાષ્ટ્રીય કાયદાના સંબંધમાં તેમના ગ્રાહકોને સલાહ આપી શકશે. 

બીસીઆઈએ તાજેતરમાં વિદેશી વકીલો અને કાનૂની પેઢીઓને વિદેશી કાયદો, આંતરરાષ્ટ્રીય કાયદા મુદ્દે અને મધ્યસ્થતાના કેસ જેવા અમુક ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી હતી. આ અંગે મિશ્ર પ્રતિસાદ આવ્યો હતો અને કેટલીક ગેરસમજણો ઊભી થઇ હતી. તેના પછી આ આશ્વાસન આપવાની ફરજ પડી હતી. 

બીસીઆઈએ કરી ગેરસમજણો દૂર 

બીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતમાં વિદેશી વકીલો અને કાનૂની સંસ્થાઓના પ્રવેશ અંગે બીસીઆઈ દ્વારા પ્રકાશિત કરાયેલ તાજેતરની ગેઝેટ નોટિફિકેશન અંગે કેટલીક ગેરસમજણો ઊભી થઈ છે. તેથી બીસીઆઈ આ મુદ્દે સ્પષ્ટતા કરવાનું યોગ્ય માને છે.  બીસીઆઈના સેક્રેટરી શ્રીમંતો સેન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર,  વિદેશી વકીલો અને કાનૂની સંસ્થાઓને તેમના ગ્રાહકોને માત્ર વિદેશી કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ પર સલાહ આપવાની મંજૂરી આપવામાં આવશે. નિવેદન અનુસાર વિદેશી વકીલો અને કાનૂની સંસ્થાઓને કોઈપણ કોર્ટ, ટ્રિબ્યુનલ બોર્ડ, કોઈપણ કાનૂની અથવા નિયમનકારી ઓથોરિટી અને ન્યાયિક ફોરમ સમક્ષ હાજર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here