Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadસરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકસાન વેઠવાનો સમય આવ્યો

સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકસાન વેઠવાનો સમય આવ્યો

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

અમદાવાદ : હોળી-ધૂળેટી પર્વ પૂર્વે જ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઇ સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકશાન વેઠવાનો સમય આવ્યો છે. હોળી-ધૂળેટી પર્વના વેપારને ધ્યાને લઇ જથ્થાબંધ વેપારીઓએ માલનો સ્ટોક ઉતર્યો હતો. પરંતુ ચૂંટણીની જીતમાં રંગે રંગાયેલા નેતાઓને આમ જનતાની રંગોત્સવની મજા બગાડી છે. ધૂળેટી રમવા પ્રતિબંધ ફરમાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છેઅમદાવાદના અંદાજે 100થી 150 વેપારીઓએ 7500 ટન કલર, 15 કરોડના પીચકારી-ફુગ્ગા, રમકડાનો માલ મંગાવ્યો હતો જે પડતર બની જતા આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. સાથે આખુ વર્ષ માલ સાચવવો પડશે અને તેમા ઘણો બગડી જશે તેની સાચવણી માટે વધારાનો નાણાકીય ડામ લાગવાનો વેપારીઓને ડર છે. આ અંગે અખબારનગર વિસ્તારમાં પિચકારીનો વેપાર કરતાં દિલીપ પટણીના કહેવા પ્રમાણે દર વર્ષ કરતાં આ વર્ષે ઘરાકી જ નથી. દર વર્ષે માલનું વેચાણ વધારે થતું હતું પરંતુ આ વર્ષે માલનું વેચાણ ઓછું છે જેની પાછળ જવાબદાર સરકારની ગાઈડલાઈન અને લોકોનો ડર છે.ગુજરાતીની ટીમ જ્યારે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં પહોંચી ત્યાં પણ વેપારીઓ નારાજ જોવા મળ્યા. ભર બપોરે તડકામાં તપતા વેપારીઓને આશા છે કે સાંજ પડે કોઈક તો ગ્રાહક આવશે પરંતુ કોઈ ગ્રાહક આવતું નથી. જેને કારણે પડતર કિંમતે માલ વેચવા તેઓ તૈયાર બન્યા છે. મહત્વની વાત એ છે કે દિલ્હીથી આવતો પિચકારીનો માલ અમદાવાદમાં આવે છે અને ત્યારબાદ તે ગુજરાતનાં છેવાડાના ગામ સુધી પહોંચે છે પરંતુ કોરોના વાયરસના સમયમાં કોઈ ગામડાંના વેપારીએ પણ માલની ખરીદી નથી કરી. આ અંગે દિલ્હી દરવાજાના વેપારી અલ્તાફભાઈનું કહેવું છે કે કોરોનાને કારણે અમે 40 ટકા માલ મંગાવી રાખ્યો હતો. માર્ચ મહિનામાં હોળી હોય એ પહેલાં અમે ફેબ્રુઆરી મહિનામાં માલ મંગાવી લેતા હોઈએ છીએ. દિલ્હીથી ખાસ ગુજરાત માલ આવે છે અને ગુજરાતમાં ખાસ અમદાવાદના વેપારીઓ સૌથી વધારે માલ ભરે છે. અમદાવાદમાંથી જ રાજકોટ, સુરત, વડોદરા સહિત નાના નાના ગામડાંઓમાં માલ જાય છે. આ અંગે દિલ્હી દરવાજાના અન્ય વેપારી આશિષ પટણીના કહેવા પ્રમાણે અમે પડતર કિંમત પર પીચકારી વેચવા માટે તૈયાર થયા છીએ પણ માર્કેટમાં 25 પણ ટકા વેપારીઓ નથી.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here