Friday, June 5, 2026
HomeGujaratAhmedabadધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ થવા ટોકન લેવું પડશે

ધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ થવા ટોકન લેવું પડશે

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

હાઇકોર્ટના સ્પષ્ટ આદેશો અને સૂચનો બાદ આખરે કોર્પોરેશનને કોરોનાને લગતી તેની તમામ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવો પડ્યો છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોર્પોરેશન સહિત તમામ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીએ હવે 108માં જવું ફરજિયાત નથી. ખાનગી વાહનમાં જશે તોપણ હોસ્પિટલે દર્દીને દાખલ કરવો પડશે. જ્યારે આધાર કાર્ડની પણ જરૂર નહીં પડે. ગુરુવાર સવારથી આ નિર્ણય લાગુ પડશે. કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાનાં રહેશે. 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે, જેથી મ્યુનિ.ના આ નિર્ણયથી શહેરમાં વધુ 1 હજાર બેડનો વધારો થશે.મારે સૌથી પહેલા રાજ્ય સરકારના પોર્ટલ પર જોઇ લેવાનું રહેશે કે તમારે માટે કઇ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ છે. જો ત્યાં તમને બેડ ઉપલબ્ધ હોવાનું જણાય તો તમારે તેને આધારે સંબંધિત હોસ્પિટલમાં જઇને દાખલ થવાનું રહેશે. બીજી તરફ હોસ્પિટલની બહાર પણ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યાં હશે, જ્યાં કેટલાં બેડ ઉપલબ્ધ છે એની માહિતી આપને મળી રહેશે. એને આધારે પણ તમે જ્યાં બેડ ઉપલબ્ધ હોય એ હોસ્પિટલમાં દાખલ થઇ શકશો.યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ઊભી કરાયેલી 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિશન લેવા માટે દર્દીનાં સગાંએ ફોર્મ ભરી કોરોના રિપોર્ટ અને અન્ય રિપોર્ટ આપીને ટોકન લેવાનું રહેશે. સવારે 8થી 9ના ગાળામાં હોસ્પિટલની બહારથી ફોર્મ લેવાનું રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે ટોકન લઈને આવવાનું રહેશે. જે દર્દીનું ઓક્સિજન લેવલ 92 ટકાથી ઓછું હશે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા અપાશે. જેટલાં બેડ પ્રવેશપાત્ર હશે એટલાં જ ટોકન ફાળવવામાં આવશે. ખાલી બેડની વિગત ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકાશે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here