Friday, June 5, 2026
Homenationalવિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ...

વિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ 84 દિવસનો નિયમ

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત પહેલાં બ્રિટન અને સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું

કેન્દ્ર સરકારે સોમવારે વિદેશ જનારા લોકો માટે વેક્સિનેશનને લઈને નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. નવી SOP અંતર્ગત વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ 28 દિવસ પછી ક્યારે પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકશે. આ પહેલાં આ નિયમ 84 દિવસ(12-16 સપ્તાહ)નો હતો. દેશમાં રહેનારા લોકો માટે આ નિયમ લાગુ થશે નહિ. કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ મુજબ વિદેશયાત્રા માટે માત્ર કોવિશીલ્ડ વેક્સિન લેનારાઓને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. વેક્સિનેશન સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ અનિવાર્ય હશે. આ સુવિધા 18 વર્ષથી ઉપરના લોકો માટે છે જે 31 ઓગસ્ટ સુધીમાં વિદેશયાત્રા કરવા માગે છે. વિદેશયાત્રા કરનારને લઈને ઝડપથી વિશેષ વ્યવસ્થા CoWIN પ્લેટોર્મ પર પણ ઉપલબ્ધ થશે.કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે પ્રત્યેક જિલ્લામાં કોવિશીલ્ડનો બીજો ડોઝ આપવા માટે અધિકારી નીમવામાં આવે. આ અધિકારી એ તપાસ કરશે કે પ્રથમ રસીની તારીખ પછી 28 દિવસનો સમય પૂર્ણ થયો છે કે કેમ, સાથે જ આ અધિકારી વિવિધ ડોક્યુમેન્ટ્સના આધારે સંબધિત લોકોના યાત્રાના હેતુની વાસ્તવિકતા પણ તપાસશે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને સંકેત આપ્યા હતા કે G-7 સંમેલન દરમિયાન વેક્સિન પાસપોર્ટને લઈને સહમતી બનાવવાની કોશિશ કરવામાં આવી શકે છે. તેમનો પ્રસ્તાવ ઈન્ટરનેશનલ ટ્રાવેલને સરળ કરવાનો છે, જોકે એમાં હાલ ઘણી સમસ્યાઓ છે. ઘણા દેશ એવા પણ છે, જ્યાં હાલ પણ મેન્યુફેકચરિંગ કે પછી અન્ય સમસ્યાઓને કારણે વેક્સિનેશન ગતિ પકડી શક્યું નથી. લાગુ કરવામાં આવશે તો મુસાફરોને ક્વોરન્ટીનમાં છૂટ આપવામાં આવશે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here