Sunday, June 28, 2026
Homenationalવિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ...

વિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ 84 દિવસનો નિયમ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ભારત પહેલાં બ્રિટન અને સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું

કેન્દ્ર સરકારે સોમવારે વિદેશ જનારા લોકો માટે વેક્સિનેશનને લઈને નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. નવી SOP અંતર્ગત વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ 28 દિવસ પછી ક્યારે પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકશે. આ પહેલાં આ નિયમ 84 દિવસ(12-16 સપ્તાહ)નો હતો. દેશમાં રહેનારા લોકો માટે આ નિયમ લાગુ થશે નહિ. કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ મુજબ વિદેશયાત્રા માટે માત્ર કોવિશીલ્ડ વેક્સિન લેનારાઓને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. વેક્સિનેશન સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ અનિવાર્ય હશે. આ સુવિધા 18 વર્ષથી ઉપરના લોકો માટે છે જે 31 ઓગસ્ટ સુધીમાં વિદેશયાત્રા કરવા માગે છે. વિદેશયાત્રા કરનારને લઈને ઝડપથી વિશેષ વ્યવસ્થા CoWIN પ્લેટોર્મ પર પણ ઉપલબ્ધ થશે.કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે પ્રત્યેક જિલ્લામાં કોવિશીલ્ડનો બીજો ડોઝ આપવા માટે અધિકારી નીમવામાં આવે. આ અધિકારી એ તપાસ કરશે કે પ્રથમ રસીની તારીખ પછી 28 દિવસનો સમય પૂર્ણ થયો છે કે કેમ, સાથે જ આ અધિકારી વિવિધ ડોક્યુમેન્ટ્સના આધારે સંબધિત લોકોના યાત્રાના હેતુની વાસ્તવિકતા પણ તપાસશે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને સંકેત આપ્યા હતા કે G-7 સંમેલન દરમિયાન વેક્સિન પાસપોર્ટને લઈને સહમતી બનાવવાની કોશિશ કરવામાં આવી શકે છે. તેમનો પ્રસ્તાવ ઈન્ટરનેશનલ ટ્રાવેલને સરળ કરવાનો છે, જોકે એમાં હાલ ઘણી સમસ્યાઓ છે. ઘણા દેશ એવા પણ છે, જ્યાં હાલ પણ મેન્યુફેકચરિંગ કે પછી અન્ય સમસ્યાઓને કારણે વેક્સિનેશન ગતિ પકડી શક્યું નથી. લાગુ કરવામાં આવશે તો મુસાફરોને ક્વોરન્ટીનમાં છૂટ આપવામાં આવશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here