Tuesday, April 22, 2025
HomeGujaratઅમિત શાહ BSF સ્થાપના દિવસે બોલ્યા- એન્ટી ડ્રોન ટેક્નિક પર કામ ચાલુ,...

અમિત શાહ BSF સ્થાપના દિવસે બોલ્યા- એન્ટી ડ્રોન ટેક્નિક પર કામ ચાલુ, દુશ્મનોને જલ્દી જવાબ મળશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજસ્થાન ના પ્રવાસે છે. આજે અમિત શાહ જેસલમેરમાં બીએસએફ BSF સ્થાપના દિવસ કાર્યક્રમમાં સામેલ થયા. જેસલમેરમાં અમિત શાહે બીએસએફ જવાનોની પરેડની સલામી લીધી. બીએસએફ આજે પોતાનો 57મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ નિમિત્તે અમિત શાહે જવાનોને સન્માનિત પણ કર્યા.

BSF જવાનોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, દેશના 35,000 જવાનોએ અલગ-અલગ સરહદો પર બલિદાન આપ્યા છે અને દેશની સરહદોને સુરક્ષિત બનાવી છે. બીએસએફના જવાનોએ સૌથી વધુ દેશ માટે બલિદાન આપ્યું છે. આ સૌથી મુશ્કેલ સરહદોની સુરક્ષા કરી રહી છે. હું આખા દેશ તરફથી અને આપણા વડાપ્રધાન તરફથી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.અમિત શાહે કહ્યું કે ડ્રોનના જોખમનો સામનો કરવા માટે સરકાર અને વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે એન્ટી ડ્રોન ટેક્નોલોજી બનાવવા માટે બીએસએફ, એનએસજી (NSG), ડીઆરડીઓ (DRDO) મળીને પ્રયત્ન કરી રહ્યા છે. અમને વૈજ્ઞાનિકો પર પૂરો ભરોસો છે. થોડા જ સમયમાં અમે એન્ટી ડ્રોન ટેક્નોલોજી બનાવવામાં સફળ થશું અને ડ્રોનના ખતરાનો પૂરેપૂરો જવાબ આપશું.ગૃહ મંત્રીએ કહ્યું કે જ્યારે ઉરી અને પુલવામામાં હુમલો થયો ત્યારે ભારત સરકારે પીએમ મોદીના નેતૃત્વમાં મજબૂત રીતે જવાબ આપ્યો અને આખી દુનિયાને તેની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોઇપણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે ત્યાં સુરક્ષા કાયમ રહે. તેમણે કહ્યું કે કોઈ દેશ પોતાની સંસ્કૃતિને ત્યારે જ બચાવી શકે છે જ્યારે તે સુરક્ષિત હોય અને આપણા જવાનો દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં લાગ્યા છે.આ પહેલાં શનિવારે ગૃહ મંત્રી રાજસ્થાનમાં બીએસએફના એક પોસ્ટ પર પહોંચ્યા અને જવાનો સાથે વાત કરી. જેસલમેરની રોહિતાશ બોર્ડર આઉટ પોસ્ટ પર જઈને બીએસએફના જવાનોને મળ્યા અને તેમની વિવિધ પ્રવૃત્તિઓને વિસ્તારપૂર્વક જાણી. અમિત શાહે કહ્યું કે, આ રણ પ્રદેશની ભીષણ ગરમી અને કડકડતી ઠંડીમાં પણ દેશની સેવા અને સુરક્ષા પ્રત્યે તમારું સમર્પણ દરેક દેશવાસીને પ્રેરણા આપે છે. બીએસએફ પૂરી હિંમત અને સમર્પણ સાથે દેશની સરહદોને અભેદ્ય રાખવામાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપી રહ્યું છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here