Tuesday, April 29, 2025
HomeIndiaપંજાબ-હરિયાણા સરકાર ટ્રેકટરો-ટ્રોલીઓ હટાવવા ખેડૂતોને સમજાવે : સુપ્રીમ

પંજાબ-હરિયાણા સરકાર ટ્રેકટરો-ટ્રોલીઓ હટાવવા ખેડૂતોને સમજાવે : સુપ્રીમ

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

નવી દિલ્હી : ખેડૂતોની ફરિયાદોનું હંમેશા માટે સૌહાદપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં પંજાબ અને હરિયાણા સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે શંભુ સરહદેથી ટ્રેકટર અને ટ્રોલીઓ ખસેડવા માટે દેખાવો કરી રહેલા ખેડૂતોને સમજાવે.ન્યાયમૂર્તિ સૂર્ય કાંત, ન્યાયમૂર્તિ દિપાન્કર દત્તા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી બીજી સપ્ટેમ્બરના રોજ રાખી છે. ખંડપીઠે પંજાબ અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યા છે કે તે દેખાવો કરી રહેલા ખેડૂતોને જણાવે કે કોર્ટ થતા બંને રાજ્યો તેમના મુદ્દાઓ માટે ચિંતિત છે અને તેમની ફરિયાદોના નિકાસલ માટે એક ફોરમની રચના કરવામાં આવી છે. ખંડપીઠે પોતાના આદેશમાં પંજાબના એડવોકેટ જનરલ અને હરિયાણાના એએજીને સૂચિત મુદ્દાઓ રજૂ કરવા જણાવ્યું છે.આ મુદ્દાઓ કોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ માટે રેફરન્સ તરીકે મદદરૂ થશે.આ કેસના એક વકીલે જણાવ્યું હતું કે પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષ ના નેતા પ્રતાપસિુંહ બાજવાને સમિતિમાં સભ્ય બનાવવામાં આવે કારણકે તે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીના ઓરિજિનલ પિટિશનર છે.જો કે આ પ્રસ્તાવનોે હરિયાણાના સિનિયર એડિશનલ એડવોકેટ જનરલ લોકેશ સિંહાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ સમિતિમાં કોઇ પણ રાજકીય વ્યકિતને સામેલ કરવો ન જોઇએ. ખંડપીઠે પણ જણાવ્યું હતું કે અમે સમિતિમાં અમે કોઇ પણ રાજકીય વ્યકિતને સામેલ કરીશું નહીં. ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો ૧૩ ફેબુ્રઆરીથી શંભુ બોર્ડર પર દેખાવોે કરી રહ્યાં છે. ખેડૂતો તેમની ખેત પેદાશો માટે ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની માંગ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના એ આદેશને પડકારતી હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેને અંબાલાની પાસે શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડને એક સપ્તાહની અંદર દૂર કરવા જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here