કર્ણાટક કટોકટી : કુમારસ્વામી વિશ્વાસમત મેળવવા તૈયાર છે

0
51
બેંગ્લોર, તા. ૨૩ કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતી રાજકીય ખેંચતાણનો અંત આવ્યા બાદ આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું અને કુમારસ્વામીની સરકાર ગબડી ગઈ હતી. આ પહેલા કુમારસ્વામીએ વિધાનસભામાં ભાવુક નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે, તેઓ વિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે. ખુશી સાથે મુખ્યમંત્રી પદ છોડી દેશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ રાજનીતિમાં આવવા માટે ઇચ્છુક ન હતા પરંતુ તેઓ નસીબથી તેઓ આવ્યા હતા. એÂક્સડેન્ટલ મુખ્યમંત્રી હોવાની વાત કુમારસ્વામીએ કરી હતી. પ્રજા પાસે માફી પણ માંગી હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ ખુબ જ ભાવનાશીલ અને ભાવુક વ્યÂક્ત છે જ્યારે તેઓએ પોતાની સામે રિપોર્ટ જાયા ત્યારે લાગ્યું હતું કે તેમને આ પદ ઉપર રહેવું જાઇએ નહીં જેથી રાજીનામુ આપવા માટે ઇચ્છુક છે. વિશ્વાસમતની કાર્યવાહી લાંબા સમય સુધી ખેંચાઈ જવા બદલ પણ કુમારસ્વામીએ માફી માંગી હતી અને કહ્યું હતું કે, કાર્યવાહીને લાંબા સમય સુધી ખેંચવાની તેમની કોઇ યોજના ન હતી. આના માટે વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યની પ્રજાની માફી માંગે છે. જેડીએસ નેતા પ્રસાદ ગૌડાએ કહ્યું હતું કે, કુમારસ્વામી રાજીનામુ આપી રહ્યા છે. કુમારસ્વામીએ તાજવેસ્ટ એન્ડ હોટલના રુમમાં રહેવાને લઇને પણ ખુલાસો કર્યો હતો. ચર્ચા દરમિયાન સિદ્ધારમૈયાએ આક્ષેપ કરતા કહ્યું હતુંકે, હોલસેલ ટ્રેડિંગની પ્રક્રિયા સમસ્યા છે. બીજી બાજુ કુમારસ્વામી માટે હંમેશા મુખ્યમંત્રીપદને લઇને નસીબની તકલીફ રહી છે. બે વખત મુખ્યમંત્રી બન્યા હોવા છતાં ક્યારે પણ અવધિ પુરી કરી શક્યા નથી. આ પહેલા તેઓ ૨૧ મહિના સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. આ વખતે ૧૪ મહિના સુધી તેમની સરકાર ચાલી શકી છે.

બેંગ્લોર, તા. ૧૨
કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે જાહેરાત કરી હતી કે, તેઓ વિશ્વાસમત મેળવવા માટે ઇચ્છુક છે. કુમારસ્વામીએ વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશકુમાર પાસેથી સમયની માંગ કરી છે. રાજ્ય વિધાનસભામાં કુમારસ્વામીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. સરકાર પતનના આરે પહોંચી છે ત્યારે આ અંગેની જાહેરાત કરીને કુમારસ્વામીએ તમામને ચોંકાવી દીધા છે. રાજ્ય વિધાનસભાનું સત્ર ૧૧ દિવસનું શરૂ થઇ ચુક્યું છે. ૧૬ ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર પતનના આરે પહોંચી છે. સરકાર બચી શકશે કે કેમ તેને લઇને કોઇપણ રાજકીય પંડિત કહેવાની Âસ્થતિમાં નથી. જા કે, વિપક્ષી ભાજપે મામલામાં મુખ્યમંત્રીની જારદાર ઝાટકણી કાઢી છે. કર્ણાટકમાં હાલ જારદાર કટોકટી સર્જાઈ ગઈ છે. કારણ કે, કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ત્રણ ધારાસભ્યો સહિત કુલ ૧૬ ધારાસભ્યો રાજીનામુ આપી ચુક્યા છે. એટલામાં ઓછું હોય તેમ બે અપક્ષ ધારાસભ્યો પણ રાજીનામુ આપી ચુક્યા છે. આ તમામને સરકારને તેમનો ટેકો પરત ખેંચી લીધો છે. કુમારસ્વામીએ આજે વાત કરતા કહ્યું હતું કે, ઉપરોક્ત ઘટનાક્રમના દોર વચ્ચે તેઓએ નિર્ણય લીધો છે કે, વિશ્વાસમત મેળવવાની જરૂર છે. કુમારસ્વામીએ સ્પીકરનો સમય માંગી લીધો છે. તેમનું કહેવું છે કે, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે વિશ્વાસમત જરૂરી છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યં હતું કે, સ્વૈÂચ્છકરીતે વિશ્વાસમત માટેનો નિર્ણય લીધો છે. હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચેઆ દુવિધા કેટલાક ધારાસભ્યોના પગલાના કારણે ઉભી થઇ છે. કુમારસ્વામીએ જાહેરાત કરી હતી કે, કોઇપણ Âસ્થતિનો સામનો કરવા તેઓ તૈયાર છે. સત્તા પર ચોંટી રહેવા માટે તેઓ અહીં આવ્યા નથી. શાસક ગઠબંધનનું કુલ સંખ્યાબળ ૧૧૬ છે જેમાં સ્પીકર ઉપરાંત કોંગ્રેસના ૭૮, જેડીએસના ૩૭ અને બસપના એક સભ્ય છે. બે અપક્ષ ધારાસભ્યોના ટેકા સાથે હવે ભાજપ પાસે કુલ સંખ્યાબળ ૧૦૭નું થયું છે. ૨૨૪ સભ્યોના ગૃહમાં અડધો આંકડો ૧૧૩ સભ્યોનો છે. જા ૧૬ ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારી લેવામાં આવશે તો ગઠબંધનનું સંક્યાબળ ઘટીને ૧૦૦ થઇ જશે અને સરકાર લઘુમતિમાં આવી જશે ત્યારબાદ તેનું પતન નિશ્ચિત દેખાઈ રહ્યું છે. કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપે હાલમાં સ્થતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ટૂંક સમયમાં જ સરકાર બચી શકશે કેમ તે અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.