Friday, June 26, 2026
Homenationalકર્ણાટક કટોકટી : કુમારસ્વામી વિશ્વાસમત મેળવવા તૈયાર છે

કર્ણાટક કટોકટી : કુમારસ્વામી વિશ્વાસમત મેળવવા તૈયાર છે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

બેંગ્લોર, તા. ૧૨
કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે જાહેરાત કરી હતી કે, તેઓ વિશ્વાસમત મેળવવા માટે ઇચ્છુક છે. કુમારસ્વામીએ વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશકુમાર પાસેથી સમયની માંગ કરી છે. રાજ્ય વિધાનસભામાં કુમારસ્વામીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. સરકાર પતનના આરે પહોંચી છે ત્યારે આ અંગેની જાહેરાત કરીને કુમારસ્વામીએ તમામને ચોંકાવી દીધા છે. રાજ્ય વિધાનસભાનું સત્ર ૧૧ દિવસનું શરૂ થઇ ચુક્યું છે. ૧૬ ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર પતનના આરે પહોંચી છે. સરકાર બચી શકશે કે કેમ તેને લઇને કોઇપણ રાજકીય પંડિત કહેવાની Âસ્થતિમાં નથી. જા કે, વિપક્ષી ભાજપે મામલામાં મુખ્યમંત્રીની જારદાર ઝાટકણી કાઢી છે. કર્ણાટકમાં હાલ જારદાર કટોકટી સર્જાઈ ગઈ છે. કારણ કે, કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ત્રણ ધારાસભ્યો સહિત કુલ ૧૬ ધારાસભ્યો રાજીનામુ આપી ચુક્યા છે. એટલામાં ઓછું હોય તેમ બે અપક્ષ ધારાસભ્યો પણ રાજીનામુ આપી ચુક્યા છે. આ તમામને સરકારને તેમનો ટેકો પરત ખેંચી લીધો છે. કુમારસ્વામીએ આજે વાત કરતા કહ્યું હતું કે, ઉપરોક્ત ઘટનાક્રમના દોર વચ્ચે તેઓએ નિર્ણય લીધો છે કે, વિશ્વાસમત મેળવવાની જરૂર છે. કુમારસ્વામીએ સ્પીકરનો સમય માંગી લીધો છે. તેમનું કહેવું છે કે, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે વિશ્વાસમત જરૂરી છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યં હતું કે, સ્વૈÂચ્છકરીતે વિશ્વાસમત માટેનો નિર્ણય લીધો છે. હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચેઆ દુવિધા કેટલાક ધારાસભ્યોના પગલાના કારણે ઉભી થઇ છે. કુમારસ્વામીએ જાહેરાત કરી હતી કે, કોઇપણ Âસ્થતિનો સામનો કરવા તેઓ તૈયાર છે. સત્તા પર ચોંટી રહેવા માટે તેઓ અહીં આવ્યા નથી. શાસક ગઠબંધનનું કુલ સંખ્યાબળ ૧૧૬ છે જેમાં સ્પીકર ઉપરાંત કોંગ્રેસના ૭૮, જેડીએસના ૩૭ અને બસપના એક સભ્ય છે. બે અપક્ષ ધારાસભ્યોના ટેકા સાથે હવે ભાજપ પાસે કુલ સંખ્યાબળ ૧૦૭નું થયું છે. ૨૨૪ સભ્યોના ગૃહમાં અડધો આંકડો ૧૧૩ સભ્યોનો છે. જા ૧૬ ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારી લેવામાં આવશે તો ગઠબંધનનું સંક્યાબળ ઘટીને ૧૦૦ થઇ જશે અને સરકાર લઘુમતિમાં આવી જશે ત્યારબાદ તેનું પતન નિશ્ચિત દેખાઈ રહ્યું છે. કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપે હાલમાં સ્થતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ટૂંક સમયમાં જ સરકાર બચી શકશે કેમ તે અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here