
અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે જેબી ઓડીટોરીયમ, એએમએ, વસ્ત્રાપુર ખાતે ગ્રાન્ડ કોન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્વોકેશન સમારોહમાં અમિત ઠાકર, ધારાસભ્ય – વેજલપુર અને ટેક ડિફેન્સ ના ફાઉન્ડર સન્ની વાગેલા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમારોહમાં ડિજિટલ માર્કેટિંગ અને એઆઈઆધારિત તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે અને તેમના કરિયર સફરની શરૂઆતને ઉજવવામાં આવ્યું.
આ પ્રસંગે એએસડીએમ ના ફાઉન્ડર લવ ત્યાગીએ જણાવ્યું કે “ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને આજના સમયમાં કંપનીઓને એવા પ્રોફેશનલ્સની જરૂર છે જેમને માર્કેટિંગ સાથે ટેકનોલોજી અને AIનું પણ જ્ઞાન હોય. એએસડીએમ નું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ, ઇન્ડસ્ટ્રી એક્સ્પોઝર અને રિયલ બિઝનેસ અનુભવ સાથે તૈયાર કરવાનું છે. આ કન્વોકેશન અમારા વિદ્યાર્થીઓના પ્રોફેશનલ જીવનની નવી શરૂઆતનું પ્રતિક છે.”
એએસડીએમ ની ડિરેક્ટર અને કો-ફાઉન્ડર ચૈતાલી ત્યાગીએ જણાવ્યું કે “એએસડીએમમાં અમે હંમેશા પ્રેક્ટિકલ અને ઇન્ડસ્ટ્રી-ઓરિયન્ટેડ શિક્ષણ પર ભાર આપ્યો છે. આ કન્વોકેશન અમારા વિદ્યાર્થીઓ અને મેન્ટર્સ માટે ગર્વનો ક્ષણ છે, કારણ કે હવે તેઓ AI અને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં પોતાની પ્રોફેશનલ સફર શરૂ કરવા જઈ રહ્યા છે.”
સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તેમજ ઉદ્યોગના મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું.
એએસડીએમ છેલ્લા કેટલાય વર્ષોથી એઆઈ અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યું છે અને ભારતમાં ડિજિટલ સ્કિલ એજ્યુકેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.


