Sunday, May 19, 2024
HomeGujaratગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ રહેશે શિત લહેર, કચ્છમાં આગામી બે દિવસ...

ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ રહેશે શિત લહેર, કચ્છમાં આગામી બે દિવસ ‘યલો એલર્ટ’

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઇ છે પણ હજુ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત છે. હાલમાં જો કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો, કચ્છનાં નલિયામાં 6.9 ડિગ્રી પારો ગગ્ડયો છે. અને હજુ આગામી ત્રણ દિવસ તાપમાન ઘટશે તેમ હવામાન ખાતાની આગાહી છે જે માટે હાલમાં બે દિવસ માટે કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતનાં 16 તાલુકામાં માવઠું પડ્યું છે. દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 1.50 ઈંચ, ભાણવડ-પોરબંદરમાં 1 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીનાં કુકરમુંડા, બનાસકાંઠાનાં થરાદ, કચ્છનાં મુન્દ્રા-માંડવી, પોરબંદરનાં કુતિયાણા, નર્મદાનાં ગરૂડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૩ દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી. પરંતુ હવે રાહતની વાત એ છે કે, રાજ્યમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી.

હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો થશે. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં રાહત અનુભવાશે. આમ, હાલની સ્થિતિએ ઉત્તરાયણના પર્વ વખતે વધારે ઠંડીની સંભાવના નહિવત્ છે. ગત રાત્રિએ નલિયામાં ૬.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ નલિયામાં પાંચ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.

અમદાવાદમાં 24.8 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો જ્યારે 15.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન પણ ઠંડા પવનથી શહેરીજનો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ 12 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેતાં કાતિલ ઠંડી અનુભવાશે. અમદાવાદમાં છેલ્લા સતત 6 વર્ષથી જાન્યુઆરીમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here