Monday, April 21, 2025
HomeGujaratAhmedabadડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડનું કોમ્બિનેશન મ્યુકરમાઇકોસિસનું જોખમ વધારી દે છે

ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડનું કોમ્બિનેશન મ્યુકરમાઇકોસિસનું જોખમ વધારી દે છે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેકશન ડિવિઝનના ડિરેક્ટર ડૉ. અતુલ પટેલે જણાવ્યું કે, શરદી જેવા વાયરલ ઇન્ફેક્શનની જેમ કોરોનાનો પણ એક નેચરલ કોર્સ હોય છે, અમુક દિવસો સુધી તે શરીરમાં રહે છે. સ્ટીરોઈડ કોરોનાના નેચરલ કોર્સમાં બદલાવ લાવે છે અને વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમને સપ્રેસ કરે છે જેથી મ્યુકરમાઇકોસિસ શરીર પર હાવી થવાની સંભાવના વધી જાય છે. કોરોના પહેલા મ્યુકરમાઇકોસિસ થવાનું મોટું કારણ ડાયાબિટીસ હતું. સ્ટીરોઈડ લેવાથી સ્વાદુપિંડ પર તે અસર કરે છે અને વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસની અસર જન્માવે છે. આમ ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડનું ડેડલી કોમ્બિનેશન મ્યુકરમાઇકોસિસને અનુકુળ માહોલ આપે છે.તેમણે કહ્યું કે, મ્યુકરમાઇકોસિસની ફૂગ સડો પામતા શાકભાજી અને કચરામાં જોવા મળે છે સામાન્ય રીતે તે આપણી આસપાસના વાતાવરણમાં બધે જ વ્યાપ્ત છે. આપણે રોજ આ ફૂગના વિજાણુને શ્વાસમાં લઈએ છીએ પરંતુ પૂરતી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા સામાન્ય માનવીને તેનાથી નુકસાન થતું નથી.તેમણે ઉમેર્યું કે, કોરોના થયા બાદ વ્યક્તિને જો માથું, આંખ, ગળા, જડબા અને ગળામાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તરત જ યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ. મ્યુકરમાઇકોસિસ લાંબી સારવાર માંગી લેતું હોય છે અને આ કિસ્સામાં મૃત્યુ દર અલગ-અલગ શહેરોમાં ૩૮ થી ૪૫ ટકા જોવા મળ્યો છે.તેમણે વધુમાં કહ્યું કે, વ્યક્તિ શરદી, ખાંસી, કળતર તાવ જેવાં લક્ષણો બાદ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવે છે ત્યારે ઘણી દવાઓનો આગ્રહ રાખે છે તે યોગ્ય નથી. કોમોર્બિડ દર્દીઓને પણ અન્ય રોગ નિયંત્રિત સ્થિતિમાં હોય તો તેઓએ પણડરવું જોઈએ નહીં. કોવિડ-૧૯ના ૮૦ ટકા દર્દીઓ માત્ર હોમ આઇસોલેશનથી સાજા થઇ શકે છે. વ્યક્તિએ હાઇડ્રેશન- શરીરમાં પ્રવાહી જળવાય તેનું ધ્યાન રાખવું જોઈએ ડો.અતુલે કહ્યું કે, કોવિડના ઘણા દર્દીઓ આઇ.સી.યુ. અને ઓક્સિજનની કે કોઇ અન્ય દવાઓની જરૂર પડશે તેવું વિચારી માનસિક તણાવમાં આવી જતા હોય છે પરંતુ એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૨૦ ટકા દર્દીઓને જ સિમ્ટોમેટિક સપોર્ટિવ કેરની જરૂર છે.રેમડેસિવિરનો ઉપયોગ પણ તબીબની સલાહ પ્રમાણે જ કરવો જોઈએ. રેમડેસિવિર લાઇફ સેવિંગ ડ્રગ છે તેવું કોઇ જ સ્ટડીમાં પુરવાર થયું નથી. રેમડેસિવિર માત્ર દર્દીનો હોસ્પિટલ સ્ટે ઘટાડે છે. રેમડેસિવિરના ઉપયોગથી મૃત્યુદરમાં કોઇ જ ફેરફાર થયો નથી. આ ઉપરાંતકોરોના થતા જ દર્દીને રેમડેસિવિર ઇન્જેકશન આપવાથી પણ કોઈ ફાયદો થતો નથી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here