Thursday, August 6, 2026
HomeGujaratહોસ્પિટલની જરૂરિયાતો પૂર્ણઃ સુરતને દૈનિક ૧૬૦ મેટ્રિક ટન ઓકિસજન પુરવઠો ઉપલબ્ધ

હોસ્પિટલની જરૂરિયાતો પૂર્ણઃ સુરતને દૈનિક ૧૬૦ મેટ્રિક ટન ઓકિસજન પુરવઠો ઉપલબ્ધ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સુરત : કોરોના કટોકટી વચ્ચે જયારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતા ઓકિસજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો, દેશભરમાં કોવિડ કેસોમાં સતત વધારો અને ઓક્સિજનની બુમરાણ વચ્ચે એક તબક્કે તો શહેરમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા.પરંતુ જિલ્લા વહીવટીતંત્રના બાહોશ અધિકારીઓની મહામહેનતે સ્થિતિ થાળે પાડી હતી. જેના કારણે સુરતમાં ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ વણસી હોય તેવો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. દર્દીઓને મોતનાં મોંમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારના સહયોગથી તાબડતોબ ઓક્સિજનની વ્યવસ્થા કરી રાહત પહોંચાડવામાં આવી અને ઉમદા ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.
વધુ વિગતો પર નજર કરીએ સામાન્ય રીતે રાજ્યભરમાં દૈનિક ૧૯૫ મેટ્રિક ટન ઓક્સિજન વપરાય છે, પરંતુ કોવિડના બીજા ફેઝમાં ૧૧૫૦ મેટ્રિક ટનનો ઉછાળો નોંધાયો. દેશમાં માર્ચ મહિનામાં આવતા કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હતો. ગુજરાત અને સુરત પણ એમાં બાકાત નહોતું.વાત કરીએ તો, કોવિડના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે માર્ચમાં ૬૪ મેટ્રિક ટનનો વપરાશ હતો. જે વધીને એપ્રિલ મહિના દરમિયાન તા.૨૨મી એપ્રિલે ઓક્સિજનનો વપરાશ ૨૪૧ મેટ્રિક ટનની ટોચ સુધી પહોચી ગયો હતો. આવા સમયે સિવિલ-સ્મિમેર તથા શહેરની ખાનગી હોસ્પિટલોમાં સમયસર પુરવઠો પહોચે તે માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ અને જી.આઈ.ડી.સી.ના એમ.ડી. અને સુરતમાં કોવિડ માટે ખાસ ફરજ પરના અધિકારી એમ.થેન્નારસનની કુનેહના કારણે સુરતીવાસીઓએ ઓક્સિજનની માંગ સામે સપ્રમાણસર ઓક્સિજનનો પુરવઠો પુરો પાડવાનું કપરૂ કાર્ય સુપેરે પાર પાડયું.
તંત્રએ ઓક્સિજન સપ્લાય અને પ્રાપ્તિ માટે વિવિધ મોરચે કામ સંભાળ્યું અને પરિણામ આપણી સૌની સામે છે. એક તબક્કે અધિકારીઓ જાતે જ આઈનોકસ કંપની પર જઈને મધ્યપ્રદેશના ટેન્કરોમાં ઓક્સિજન રિફિલિંગને અટકાવીને સુરતના ટેન્કરોનું સૌપહેલાં રિફિલિંગ થાય એ માટે તાકીદ કરી હતી. પરિણામે મધ્યપ્રદેશ પહેલાં સુરતને ઓક્સિજન રિફિલ માટે પ્રાથમિકતા મળી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here