Sunday, May 19, 2024
HomeGujarat'સિંહનાં પણ ટોળાં હોય છે': ગીર સફારીના ડેડકડી રેન્જ વિસ્તારમાં એકસાથે તેર-તેર...

‘સિંહનાં પણ ટોળાં હોય છે’: ગીર સફારીના ડેડકડી રેન્જ વિસ્તારમાં એકસાથે તેર-તેર સાવજ દેખાયા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

સિંહોનાં ટોળાં હોતાં નથી એ કહેવતને ખોટી પાડતો એક વીડિયો ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એ વીડિયો નિહાળીને આપ પણ કહેશો કે ‘હા સિંહોનાં ટોળાં હોય છે..”ધોમધખતો ઉનાળો માનવી જ નહીં, વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સાવજોને પણ અકળાવતો હોય છે. ત્યારે ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાં બુધવારે સાંજના સમયે એકસાથે 13 સાવજોનું ગ્રુપ વોટર પોઇન્ટની ટાંકીમાંથી છલકાયેલા પાણીથી ભીની થયેલી માટીની ઠંડક માણતું જોવા મળ્યું હતું, જેનો વીડિયો સફારી ગાઈડ જીતુ સિંધવે કેમેરામાં કેદ કર્યો છે.ઉનાળાની સીઝનમાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી પાણીના પોઈન્ટો સુકાઈ જતા હોય છે, જેથી સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે એ માટે વન વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કુદરતી અને આર્ટિફિશિયલ મળી 500 જેટલા પાણીના પોઇન્ટો સમગ્ર જંગલ વિસ્તારમાં ઊભા કરી ભરવામાં આવે છે. આ પોઈન્ટમાં વોટર ટેન્કર, સોલર પંપ અને પવનચક્કીથી નિયમિત ભરવામાં આવે છે. ઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ આ પાણી ભરાતા પોઈન્ટો પરથી તરસ છીપાવે છે. અહીં ઘણીવાર એકસાથે અનેક સિંહો જોવા મળે છે, એ પૈકીનું આ એક દૃશ્ય છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here