Sunday, May 19, 2024
HomeEducationગુજકેટનું પરિણામ જાહેર: A ગ્રુપના 474 અને B ગ્રુપના 678 વિદ્યાર્થીઓને 99...

ગુજકેટનું પરિણામ જાહેર: A ગ્રુપના 474 અને B ગ્રુપના 678 વિદ્યાર્થીઓને 99 પર્સન્ટાઈલ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

અમદાવાદ: ગુજકેટની પરીક્ષાનું આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત 6 ઓગસ્ટે યોજાયેલી પરીક્ષામાં 67 હજાર 951 વિદ્યાર્થીઓ અને 45 હજાર 251 વિદ્યાર્થિનીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. A ગ્રુપના 46 હજાર 013 વિદ્યાર્થીઓ અને B ગ્રુપમાં 66 હજાર 909 વિદ્યાર્થીઓ હતા. જેમાંથી A ગ્રુપના 474 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા છે જ્યારે B ગ્રુપના 678 વિદ્યાર્થીઓએ 99 પર્સનટાઇલ્ મેળવ્યા છે. ગુજકેટના પરિણામના 50 ટકા ગુણ અને 12 સાયન્સના પરીક્ષાના 50 ટકા ગુણના આધારે ફાર્મસી અને ઈજનેરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.ગુજકેટની પરીક્ષા આપનાર વિદ્યાર્થિની જિલ પ્રજાપતિએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે મારે 67% આવ્યા છે ફેમિલીએ પણ સંતોષ માન્યો છે પણ મને હજી પણ એવું લાગે છે કે મેં તૈયારીઓ ઓફલાઈન કરી હોત તો હું હજી સારો સ્કોર કરી શકી હોત. ઓનલાઈન સ્ટડીમાં ખ્યાલ તો આવે પણ અમુક વાર અવાજ જતો રહે, નેટર્વક જતું રહે એટલે એમને સવાલ કરવા માટેની તક મળે નહીં. જ્યારે ઓફલાઈન સ્ટડીમાં તમામ ડાઉટ ક્લિયર થાય અને બીજાના પ્રશ્નોથી પણ આપણને જાણવા મળે.ગુજકેટની પરીક્ષા આપનાર B ગ્રુપના વિદ્યાર્થીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારા 66 માર્ક્સ આવ્યા છે, મારી ઈચ્છા છે કે હું ફાર્મસીમાં એડમિશન લઉં. આ કોવિડના કારણે અમને ઘણી અસર થઈ. અમને લાગ્યું કે થોડા દિવસ જ ઓનલાઇન ભણવું પડશે પણ આતો હવે લાંબુ ચાલતું ગયું અમે આ વ્યવસ્થાથી ટેવાયેલા નથી એટલે હવે શું કરીએ. જે પરિણામ આવ્યું એને અમે સ્વીકારીએ છીએ અને તેની સાથે આગળ વધીશું.શિક્ષક વિશાલ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આ વખતે વિદ્યાર્થીઓનું GUJCET નું રિઝલ્ટ ઓલ ઓવર ઓછું આવ્યું છે. દર વર્ષે 99 પર્સન્ટાઇલ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા આ વર્ષે તે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. જોકે આ માસ પ્રમોશનના કારણે રિઝલ્ટ ઘટ્યું હોય શકે. પરંતુ સરકારે વિદ્યાર્થીઓને એડમિશન પ્રકિયામાં 40ની બદલે હવે 50 ટકા ગુજકેટના માર્ક્સ ગણવામાં આવે તેવી વ્યવસ્થા કરી છે જેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. હવે એડમિશન પ્રકિયા પણ ચાલુ થશે જેમાં વિદ્યાર્થીઓ તેમના મેરીટ આધારે પ્રવેશ લેશે.રાજ્યમાં કોરોના કાળમાં શિક્ષણજગતને ઘણું નુકશાન પહોંચ્યું છે, જેમાં ભણવાની અને પરીક્ષા આપવાની વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે. લોકોને કોરોનાના કારણે ઓનલાઈન કલાસના માધ્યમથી શિક્ષણ મેળવવું પડતું હતું. ત્યારે આ વર્ષે સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ છે તેઓનું માનવું છે કે જો ઓફલાઈન પરીક્ષા લેવાઈ હોત તો વધારે પરિણામ આવ્યું હોત, જોકે વિદ્યાર્થીઓ એ આપેલી ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર થયું છે, જેમાં પણ વિદ્યાર્થીઓએ આ વખતે ઓછું પરિણામ મેળવ્યું છે. જોકે આ વખતે માસ પ્રમોશનના કારણે એડમિશન પ્રક્રિયામાં ગુજકેટના માર્ક્સનું વેઈટેઝ 40ની બદલે 50 ટકા ગણવામાં આવશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here