Monday, May 20, 2024
HomeUncategorizedહાર્દિકે પાર્ટી છોડતી વખતે ગરીમા જાળવવાની જરૂરી હતી, જેણે પ્રેમ કર્યો તેને...

હાર્દિકે પાર્ટી છોડતી વખતે ગરીમા જાળવવાની જરૂરી હતી, જેણે પ્રેમ કર્યો તેને જ ગાળો આપી: જિગ્નેશ મેવાણી

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

અમદાવાદ: કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપતી વખતે હાર્દિક પટેલે એક પત્ર લખ્યો હતો, જેમાં કૉંગ્રેસ પાર્ટી, પ્રદેશ કૉંગ્રેસ અને કૉંગ્રેસના શીર્ષ નેતૃવ્ય વિરુદ્ધ હાર્દિકે અનેક આક્ષેપ કર્યાં છે. કૉંગ્રેસના તમામ મોટા નેતાઓએ હાર્દિકના આક્ષેપોનો જવાબ આપ્યો છે. આજે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબંધોની હાર્દિકના આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, જે લોકોએ પ્રેમ આપ્યો તેને જ હાર્દિકે ગાળો આપી છે. હાર્દિક પટેલે ગરીમા સાથે કૉંગ્રેસ છોડવાની જરૂર હતી.પત્રકાર પરિષદ સંબોધતા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, “હું કૉંગ્રેસ સાથે છું અને રહીશ. ગુજરાત અને દેશમાં લાખો યુવાનોને હું અને કૉંગ્રેસ પાર્ટી સાથે મળીને જોડીશું. હાર્દિક પટેલ આંદોલનના સંઘર્ષના સાથી હતા. બીજા પણ મિત્રોએ કૉંગ્રેસ પાર્ટી છોડી છે. કૉંગ્રેસ પાર્ટી છોડતી વખતે તમે તમારો વૈચારિક વાંધો રજૂ કરી શકો. તેમણે બીલો ધ બેલ્ટ જવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રકારની ગરીમા જાળવવી જોઈએ તે જાળવી નથી, તેના બદલે જે પ્રકારની ભાષાન પ્રયોગ કર્યો તે યોગ્ય નથી. કૉંગ્રેસ પાર્ટીને ગમે ગુજરાત વિરોધી પાર્ટી કેવી રીતે કહી શકો. ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટી 27 વર્ષથી સત્તામ ન હોવા છતાં તેના એક એક કાર્યકરોએ પાર્ટીને બેઠી કરવા અને જીવતી રાખવા માટે મહેનત કરી છે.”જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે, “તમને કૉંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો પડે તો આખા કૉંગ્રેસ પક્ષને દેશ અને ગુજરાત વિરોધી ચિતરવાનો પ્રયાસ યોગ્ય નથી. ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની શું જરૂર હતી? આ કોઈ દલીલનો મુદ્દો નથી. જે માણસે તમને પ્રેમ આપ્યો તેમને ટાર્ગેટ કર્યાં. તમે રાહુલ ગાંધી સાથે સીધી વાત કરી શકતા હતા. પાર્ટીના અનેક મોટો નેતાઓને પણ આવો એક્સેસ નથી.”

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here