Monday, May 20, 2024
HomeBusinessઊંચા પગાર: આ વર્ષે કંપનીઓ પગારમાં 9 ટકા વધારો આપશે: સરવે

ઊંચા પગાર: આ વર્ષે કંપનીઓ પગારમાં 9 ટકા વધારો આપશે: સરવે

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

મોટાભાગની કંપનીઓ પ્રિ-કોવિડ સ્તરે ઝડપથી રિકવર થઈ છે. જેના પગલે પગાર વધારો પણ પ્રિ-કોવિડ સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે કર્મચારીઓને પગારમાં સરેરાશ 9 ટકા ઈન્ક્રિમેન્ટનો અંદાજ છે. મર્સરના ટોટલ રિમ્યુનરેશન સર્વે મુજબ, કંપની બોર્ડ પોઝિટીવ ઈકોનોમિક અને બિઝનેસ સેન્ટિમેન્ટના આધારે 2022માં પગારમાં 9 ટકા વધારો આપી શકે છે. જે 2020માં 7.7 ટકા હતો.ટેક્નોલોજી કંપનીના તમામ કર્મચારીઓને 2021ના 8 ટકા પગાર વધારા સામે 2022માં 9 ટકા પગાર વધારો મળશે. જે પ્રિ-કોવિડ 2019ના 9 ટકાના સ્તરે છે. સોફ્ટવેર ડેવલોપમેન્ટ, આરએન્ડડી, પ્રિ-સેલ્સ પ્રોડક્ટ કન્સલ્ટિંગ અને ડેટા સાયન્સ સહિત ઈન્ટરનેટ જોબ સેગમેન્ટમાં 12 ટકા પગાર વધારો મળી શકે છે. ટેક્નોલોજી આધારિત સ્કીલ્સમાં ઉંચો પગાર વધારો મળશે.મર્સરે કુલ 988 કંપનીઓ, 5700 જોબ ફંક્શન અને 14 લાખ કર્મચારીઓ વચ્ચે સર્વે હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પગારમાં વધારો કુશળતા, સ્થળ અને પર્ફોર્મન્સ ઉપરાંત કંપનીની નાણાકીય સ્થિતિના આધારે જુદો-જુદો હોઈ શકે છે.

એક વર્ષમાં થયેલી ભરતીમાં ઊંચા પગાર
છેલ્લા એક વર્ષમાં ભરતી કરવામાં આવેલા કર્મચારીઓના પગાર જુના કર્મચારીઓની તુલનાએ ઉંચા રહ્યા છે. જેમાં ખાસ કરીને સીનિયર મેનેજરની ભૂમિકા મહત્વની રહી છે. કંપનીઓએ આઈટી, પ્રોડક્ટ ઓર્ગેનાઈઝેશન સહિતના ટેક્નો ફંક્શનલ રોલ માટે ઉંચા પગાર સાથે એન્ટ્રી લેવલના કર્મચારીઓની ભરતી કરી હતી.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here