Wednesday, March 11, 2026
HomeGujaratનવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત....

નવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત….

Date:

spot_img

Related stories

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
spot_img

જૂનાગઢ: આદ્યશક્તિ મા અંબાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આપણાં માટીના દેશી ગરબા બજારમાં આવવા તૈયાર છે! આપણે જાણીએ છીએ એ મુજબ, વર્તમાન સમયમાં બધી જ ચીજવસ્તુને આધુનિકતાનો સ્પર્શ થયો છે, ત્યારે હાલના સમયના બજારમાં સીરામિક અને પીઓપીથી તૈયાર થયેલ ગરબા પણ મળી રહે છે, પરંતુ તેની સામે આપણા પરંપરાગત માટીના દેશી ગરબાએ પોતાનું સ્થાન એમનું એમ જાળવી રાખ્યું છે.જૂનાગઢના ખામધ્રોળ ગામે વસતાં અનેક કુંભાર પરિવારો નવરાત્રી નિમિત્તે પરંપરાગત માટીના દેશી ગરબા બનાવે છે, જેમાં ખૂબ જ મહેનત લાગે છે. દેશી ગરબા બનાવવામાં નવરાત્રી પહેલાં કુંભાર પરિવારના ચારથી પાંચ સભ્યો ગરબા બનાવવાના કામમાં લાગી જાય છે. દિવસભર કરેલી મહેનતના અંતે 50 જેટલાં ગરબા તૈયાર થઈ શકે છે. નવરાત્રી નજીક આવતાં જ તેને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે, ત્યારે અનેક હિન્દુ પરિવારો ઉત્સાહપૂર્વક આ ગરબા ખરીદે છે અને પહેલાં નોરતે શ્રદ્ધાની પોતાને ઘેર ગરબાનું સ્થાપન કરી તેનું પૂજન-અર્ચન કરે છે.હાલના સમયમાં બજારમાં પીઓપી અને સીરામિક માટીમાંથી તૈયાર થયેલા ગરબા પણ મળે છે, જેને વિસર્જન કરતાં તેને ઓગળવામાં સમય લાગે છે. જ્યારે ફક્ત માટીમાંથી જ તૈયાર થયેલ દેશી ગરબા વિસર્જન કરતા ઝડપથી ઓગળી જાય છે. આ જ કારણે કુંભાર પરિવાર દ્વારા તૈયાર થતાં દેશી ગરબા આજે પણ એટલાં જ મહત્વના સાબિત થઈ રહ્યાં છે. માટીના ગરબા પાક્યા પછી તેના પર રંગરોગાન કરીને અવનવી ભાત ચિતરવામાં આવે છે, એટલું જ નહીં આભલા-ટીક્કી વડે તેને સુશોભિત કરવામાં આવે છે. ગરબા નાની-મોટી અનેક સાઈઝમાં મળી રહે છે.ગરબો વેચાય નહીં, ત્યાં સુધી તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે! જો ગરબો સહેજ પણ ડેમેજ થાય તો, તેને ખંડિત ગણવામાં આવે છે અને ગ્રાહકો તેની ખરીદી કરતાં નથી. માટીના ગરબા બનીને બજારમાં આવે ત્યારે તે રૂ.50 થી લઈને રૂ.150 સુધીની કિંમતે તેની સાઈઝ મુજબ વેંચાતા હોય છે. કુંભાર પરિવારના દરેક સભ્યોએ કરેલી અથાગ મહેનત સામે આ કિંમત કદાચ કઈ જ નથી! તેમ છતાં આપણી પરંપરાને જાળવી રાખી આજે પણ અનેક કુંભાર પરિવાર નવરાત્રીનું પર્વ આવે એ પહેલાં પુરી લગનથી માતાજીના ગરબા દર વર્ષે બનાવી અનોખો આનંદ અનુભવતાં હોય છે.

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here