Tuesday, June 30, 2026
HomeGujaratખેડૂતોને ડબલ માર: ડીઝલના ભાવ વધતા થ્રેશર, ખેતી કામમાં પ્રતિકલાકે રૂપિયા 200થી...

ખેડૂતોને ડબલ માર: ડીઝલના ભાવ વધતા થ્રેશર, ખેતી કામમાં પ્રતિકલાકે રૂપિયા 200થી 400નો વધારો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ડીઝલનો ભાવ વધતાં માત્ર જીવનજરૂરી ચીજવસ્તુનું પરિવહનજ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા ઓજારો ચલાવવા પણ મોંઘા બન્યા છે. સોરઠમાં હાલ મગફળીની સીઝન છે. એવામાં થ્રેશર પ્રત્યેક ખેડૂતોની જરૂરિયાત છે. બધા પાસે પોતાના થ્રેશર હોતા પણ નથી. પણ ડીઝલનો ભાવ વધતાં થ્રેશર ચલાવવાનો અને ખેતર સુધી લઇ જવાના ખર્ચમાં વધારો થયો.મારી પાસે 20 વર્ષથી થ્રેશર છે. ડીઝલનો ભાવ વધ્યો હોવાથી અમે પણ ભાવ વધાર્યા. બધા પાસે ટ્રેક્ટર કે થ્રેશર ન હોય. પહેલાં અમે 1 કલાકના 400 રૂપિયા લેતા. પણ ડીઝલના ભાવ વધવાથી અમારે આ વર્ષે ફરજિયાત 800 રૂપિયા કરવા પડશે. જો આવુંજ રહેશે તો ખેડૂતો ફરી બળદગાડાએ આવી જશે. અને પહેલાંની જેમ હાથેથી મગફળી ખંખેરવાનો વારો આવશે. – કિશોરભાઇ ગોવિંદભાઇ કણસાગરા, ખાંભલા, તા. માણાવદરઅમારી પોતાની જમીન ખેડવામાં 10 વર્ષ પહેલાં વિઘે 300 રૂપિયા લેખે 29 વીઘાનો રૂ. 9 હજાર ખર્ચ થતો. જે ડીઝલના ભાવ વધવાની 1 વીઘાનો ખર્ચ 600 રૂપિયા થઇ ગયો છે. આમ હવે અમારો ખર્ચ રૂ. 18 થી 20 હજાર થઇ ગયો. – મનસુખભાઇ ગોહેલ, ઉમેજ, તા. ઊનાડીઝલના ભાવ રૂ. 100 થતાં મજૂર સાથેના થ્રેશરના ભાવ 700 માંથી હવે 1100 રૂપિયા થશે. જ્યારે મારા ખેતરથી ઘર દોઢ કિમી થતું હોઇ ટ્રેક્ટરના એક ફેરાનું ભાડું 400 થી વધીને હવે 600 રૂપિયા થશે. જ્યારે મજૂરી પણ વધી ગઇ છે. આમ ખેડૂત જેટલી કમાણી કરે એ પાક તૈયાર કરવા મજૂરીના રૂપમાં પાછી આપી દે છે. – મોહનભાઇ નાનજીભાઇ કમાણી, કેવદ્રા, તા. કેશોદજેની સીધી અસર પાક જણસની પડતર કિંમત પર પડશે. બીજી તરફ ખેડૂતોને ડીઝલ તો બજાર ભાવેજ ખરીદવું પડે છે. આથી એમાં કોઇ જાતની રાહત મળતી નથી. જો ટેકાના ભાવમાં સરકાર વધારો કરી દે તો ખેડૂતોની કમાણી જળવાઇ રહે. તો જેઓને પોતાની જણસ યાર્ડ સુધી પહોંચાડવાની છે તેના વાહન ભાડામાં પણ વધારો થવાનો જ છે. આમ ખેડૂતોને જણસ તૈયાર કરવાથી લઇને વાહન ભાડાંનો માર પડવાનો છે એ નક્કી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here