Sunday, May 19, 2024
HomeWorldISISનો પ્રમુખ અબુ હુસૈન અલ કુરૈશી સીરિયામાં ઠાર મરાયો, તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને...

ISISનો પ્રમુખ અબુ હુસૈન અલ કુરૈશી સીરિયામાં ઠાર મરાયો, તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને કર્યો મોટો દાવો

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

તૂર્કીયેના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે જાતિવાદ, ઇસ્લામોફોબિયા અને ભેદભાવ પશ્ચિમમાં “કેન્સરની જેમ” ફેલાઈ રહ્યા છે

2013માં તૂર્કીયે દાએશ/ ISISને આતંકવાદી સંગઠન જાહેર કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો

તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાનનું કહેવું છે કે આઈએસઆઈએસનો શંકાસ્પદ પ્રમુખ અબુ હુસૈન અલ-કુરેશી સીરિયામાં માર્યો ગયો છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે આ અંગે મેં ખુદ જાહેરાત કરી છે. તેને ગઈકાલે MIT દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ઠાર મરાયો  હતો. તેમણે વધુમાં કહ્યું કે તૂર્કીયે કોઈપણ ભેદભાવ વિના આતંકવાદી સંગઠનો સામે તેની લડાઈ ચાલુ રાખશે. 

ISIS દ્વારા તૂર્કીયેમાં ઘણા હુમલા કરાયા 

એક અહેવાલ અનુસાર 2013માં તૂર્કીયે દાએશ/ ISISને આતંકવાદી સંગઠન જાહેર કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. ત્યારથી દેશમાં આતંકવાદી જૂથ દ્વારા ઘણી વખત હુમલા કરવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 10 આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો, સાત બોમ્બ હુમલા અને ચાર સશસ્ત્ર હુમલાઓમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

તૂર્કીયેએ વિદેશોમાં આતંકીઓનો ખાત્મો કરવાની જવાબદારી ઉપાડી 

તેના જવાબમાં તૂર્કીયેએ વધુ હુમલાઓને રોકવા માટે દેશ-વિદેશમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં તૂર્કીયેના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે જાતિવાદ, ઇસ્લામોફોબિયા અને ભેદભાવ પશ્ચિમમાં “કેન્સરની જેમ” ફેલાઈ રહ્યા છે. “પશ્ચિમ દેશોએ હજુ સુધી આ ખતરાનો સામનો કરવાના પ્રયાસો કર્યા જ નથી. અહેવાલો અનુસાર વિદેશમાં મુસ્લિમો અને મસ્જિદોને નિશાન બનાવતા દ્વેષપૂર્ણ ભાષણ અને હુમલાઓ પણ વધી રહ્યા છે. એર્દોગાને કહ્યું “મસ્જિદોને આગ લગાડવા અને જાતિવાદી જૂથો દ્વારા પવિત્ર કુરાન શરીફને અપમાનિત કરવાના ઘૃણાસ્પદ કૃત્યોમાં પણ વધારો થયો છે… અમે અમારા નાગરિકોના જીવન અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટે દરેક પગલાં લઈ રહ્યા છીએ.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here