Saturday, May 18, 2024
HomePoliticsModiપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોને આપશે નવી ભેટ; વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોને આપશે નવી ભેટ; વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપશે. આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં તમામ આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરશે. તેનો ઉદેશ્ય જળવાયુ પરિવર્તન અને કુપોષણના બમણા પડકારનો સામનો કરવાનો છે. આ કાર્યક્રમ દરમ્યાન, પ્રધાનમંત્રી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરન્સ, રાયપુરના નવા બંધાયેલા કેમ્પસને પણ દેશને સમર્પિત કરશે.આ અવસરે, પ્રધાનમંત્રી કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ એવોર્ડ એનાયત કરશે, સાથે નવીન પદ્ધતિઓ ઉપયોગમાં લેતા ખેડૂતો સાથે સંવાદ કરશે અને મેળાવડાને સંબોધન કરશે.આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી અને છત્તીસગઢના મુખ્ય મંત્રી ઉપસ્થિત રહેશે.

વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથેની પાકની વિવિધતા :-
આબોહવા ફેરફાર અને કુપોષણના બેવડા પડકારોને ઉકેલવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) દ્વારા ખાસ વિશિષ્ટ ગુણો સાથેની પાકની વિવિધતાઓ વિક્સાવવામાં આવી છે. આવી આબોહવા ફેરફાર સામે સ્થિતિસ્થાપક અને વધારે પોષણજથ્થો ધરાવતી પાકની 35 વિવિધતાઓને 2021ના વર્ષમાં વિક્સાવાઇ છે. આમાં દુષ્કાળ સહન કરી શકતી  કઠોળની એક જાત (અવિકસિત વટાણા), કરમાઇ જવા અને બીનઉપજાઉપણાં સામે ટકી શકતા કબૂતરચણ, સોયાબીનની વહેલી પાકતી જાત, ચોખાની રોગ સામે ટકી રહેતી જાતો અને ઘઉં, મોતી બાજરી, મકાઇ અને વટાણાં, રાજગડો, બક્વીટ (ત્રિકોણાકાર દાણાવાળું એક જાતનું અનાજ), ફોતરાંવાળા કઠોળ અને બાકળાની બાયોફોર્ટિફાઈડ જાતોનો સમાવેશ થાય છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here