Saturday, May 18, 2024
HomeUncategorizedSwami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9...

Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

Swami Vivekanand Jayanti 2022: સ્વામી વિવેકાનંદની જયંતિ આજે આખા દેશમાં ઉજવવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. 12 જાન્યુઆરીનો દિવસ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’તરીકે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક ગુરુનો દરજ્જો પ્રાપ્ત છે. ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમનું નામ સ્વામી વિવેકાનંદ રાખ્યું હતું. તેઓ રામકૃષ્ણ પરમહંસથી અત્યંત પ્રભાવિત હતા. સ્વામી વિવેકાનંદે વિશ્વને આધ્યાત્મનો પાઠ ભણાવ્યો છે, જે આજે પણ આપણું માર્ગદર્શન કરે છે. તેમના અમૂલ્ય વિચારો યુવાનોને ઉજળું ભવિષ્ય બનાવવા માટે પ્રેરિત કરતા રહે છે. આજે પણ તેમના વિચારોને લોકો આત્મસાત કરીને સફળતાના નવા શિખરો સર કરે છે. આજે સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે જાણીએ તેમના 9 અમૂલ્ય વિચારો વિશે.

1. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સંભવની મર્યાદા જાણવાનો એક માત્ર ઉપાય છે, તમે અસંભવથી પણ આગળ નીકળી જાઓ.

2. વિવેકાનંદે લોકોને પોતાના વિચારોમાં શુદ્ધતા લાવવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે એ ન ભૂલો કે ખરાબ વિચાર અને ખરાબ કામ વ્યક્તિને પતન તરફ લઈ જાય છે, જ્યારે સારા વિચાર અને સારા કર્મ લાખો દેવદૂતોની જેમ અનંતકાળ માટે તમારું રક્ષણ કરવા તત્પર રહે છે.

3. સ્વામી વિવેકાનંદે વિશ્વાસને ખૂબ મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે કે તમે જ્યાં સુધી સ્વયં પર વિશ્વાસ નહીં કરો, ત્યાં સુધી તમે ઈશ્વર પર પણ વિશ્વાસ નથી કરી શકતા.

5. સ્વામી વિવેકાનંદે આ વાત પર ભાર મૂક્યો છે કે વ્યક્તિએ કમજોર ન હોવું જોઈએ તેઓ કહે છે કે સ્વયંને કમજોર સમજવું સૌથી મોટું પાપ છે.

6. તેમણે સફળતા માટે જણાવ્યું છે કે જ્યારે તમે કોઈ નવું કામ કરો છો તો પહેલા તેની હાંસી ઉડાવવામાં અવે છે, પછી તેનો વિરોધ થાય છે અને પછી એનો સ્વીકાર કરી લેવામાં આવે છે. તેઓ કહે છે કે દરેક કામ આ જ ત્રણ સ્થિતિમાંથી પસાર થાય છે, ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ.

7. માનવીએ દરરોજ પડકારોનો સામનો કરીને તેના પર વિજય મેળવવો જોઈએ. સ્વામી વિવેકાનંદ કહેતાં હતા કે જે દિવસે તમારી સામે પડકાર કે મુશ્કેલી ન આવે, તો તમે સમજી લો કે ખોટા માર્ગે જઈ રહ્યા છો.

8. સ્વામી વિવેકાનંદનું કહેવું હતું કે અનુભવથી જ વ્યક્તિ શીખે છે, એ જ તેનો સાચો શિક્ષક છે. જીવનમાં હમેશા વ્યક્તિએ શીખતા રહેવું જોઈએ.

9. અસમંજસની સ્થિતિમાં જ્યારે તમે નિર્ણય નથી લઈ શકતા, ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દિલ અને દિમાગમાંથી વ્યક્તિએ પોતાના દિલનું સાંભળવું જોઈએ.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here