Sunday, May 19, 2024
HomeGujaratગુજરાતમાં હજી 48 કલાક રહેશે માવઠાનો માર, જાણો ક્યારથી ફરીથી પડશે કાતિલ...

ગુજરાતમાં હજી 48 કલાક રહેશે માવઠાનો માર, જાણો ક્યારથી ફરીથી પડશે કાતિલ ઠંડી

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ગુજરાતમાં એકતરફ કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે તો બીજી બાજુ માવઠાના મારનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યના 60થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના તાલુકાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે રાજ્યમાં હજુ 48 કલાક માવઠું પડી શકે છે. 48 કલાક બાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી બે દિવસ વાતાવરણ યથાવત રહેશે. આજે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 8 જાન્યુઆરીના રોજ ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ બાદ એટલે કે, 9 જાન્યુઆરીથી વાતાવરણ સુકું બની જશે. જેના કારણે ખેડૂતોને માવઠાની ચિંતા નહીં રહે પરંતુ ઠંડીનો પારો ગગડશે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકું બનશે અને ઠંડા પવનો ફુંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે જેના કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે.રાજ્યમાં ઠંડી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 9થી 13 જાન્યુઆરીના રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. લઘુતમ તાપમાનનો પારો ગગડશે. તેમજ 16થી 18માં ફરી વાતાવરણ પલટો આવી શકે છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here