Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદઃ સાસરિયાંના ત્રાસથી કંટાળી સગર્ભાએ ટૂંકાવ્યું જીવન

અમદાવાદઃ સાસરિયાંના ત્રાસથી કંટાળી સગર્ભાએ ટૂંકાવ્યું જીવન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

એક મહિનાની ગર્ભવતી મહિલાએ પોતાના સાસુ અને પતિના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો. મૃતકના માતા-પિતાએ શુક્રવારે આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. FIRમાં વસંતી ડાભીએ નોંધાવ્યું કે એક વર્ષ પહેલા તેમની દીકરી દેવયાનીએ ઘાટલોડિયામાં રહેતા દિનેશ દરજી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદથી સાસરિયાંએ દેવયાનીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.દેવયાનીએ લગ્નના એક મહિના બાદ જ સાસુ અને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવા અંગે પોતાના મમ્મીને ફરિયાદ કરી હતી. સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન કર્યાં હોવાથી દેવયાનીને ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. એક મહિના પહેલાં દેવયાની એક મહિનાની ગર્ભવતી હોવાનું જણાવી ઘીકાંટામાં રહેતા માતા-પિતાના ઘરે આવી ગઈ હતી. દેવયાનીએ ખાનગી ડૉક્ટર પાસે તપાસ કરાવી હોવાથી પણ તેના સાસુ અને પતિ તેને હેરાન કરી રહ્યા હતા.સાસરિયાંના ત્રાસથી કંટાળી દેવયાનીએ આખરે 11 જૂનના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અન્ય એક કેસમાં 40 વર્ષની મહિલાના પિતાએ રાણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી, જેમાં કલ્પેશ પટેલ નામના શખ્સે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યો હોવાના કારણે તેમની દીકરીએ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.22 વર્ષ પહેલાં મહિલાના લગ્ન થયાં હતાં અને લગ્નના 6 મહિના બાદ જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. બે વર્ષ અગાઉ પીડિતા આરોપીના સંપર્કમાં આવી હતી. પોલીસે જણાવ્યા મુજબ 8 જૂનના રોજ મહિલાએ આપઘાત કર્યો હતો. તેના ઘરેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે આરોપીના નામનો ઉલ્લેખ કર્યો છે. આરોપીએ મહિલાને તો માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો પણ સાથોસાથ મહિલાના પરિજનોને પણ ધમકાવ્યા હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જેને કારણે તેણે આત્મહત્યા કરી. પોલીસે બંને કેસમાં IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img