Friday, June 5, 2026
HomeMumbai

Mumbai

ટાટા ઓટોકોમ્પ અને જાહવા ઇલેક્ટ્રોનિક્સે ભારતના ઇવી માર્કેટ માટે એડવાન્સ્ડ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સને વેગ આપવા સંયુક્ત સાહસની જાહેરાત કરી

ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી મનોજ કોલ્હાટકરે ઉમેર્યું હતું કે, “જાહવા ઇલેક્ટ્રોનિક્સની અસાધારણ ટેક્નોલોજીકલ કુશળતા અમારી મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની સંપૂર્ણ રીતે...

Viએ એપ્રિલમાં સબસ્ક્રાઇબરની વૃદ્ધિ જાળવી રાખી, સતત ત્રીજા મહિનામાં સબસ્ક્રાઇબરમાં વધારો રેકૉર્ડ કર્યો

TRAIએ એપ્રિલ, 2026ના મહિના માટે સબસ્ક્રાઇબરના આંકડા જાહેર કર્યા હતા. ફેબ્રુઆરી, 2026થી ગ્રાહકોની સંખ્યામાં સકારાત્મક વૃદ્ધિને જાળવી રાખીને Viએ પોતાનાં નેટવર્ક પર એપ્રિલ, 2026માં...

યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે વેલ્થ ટ્રેકિંગને સરળ બનાવવા માટે ‘વેલ્થ 360’ લોન્ચ કર્યું

યુઝર્સ હવે એક જ યુનિફાઇડ ડેશબોર્ડ દ્વારા બેંક ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ, ઇટીએફ, એનપીએસ સહિતના વિવિધ રોકાણો એકસાથે જોઈ શકશે 26 મે, 2026, મુંબઈ: યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે...

માટી, પરસેવો અને ગુસ્સો પેડ્ડીમાં જોવા મળશે રામ ચરણનો સૌથી જુદો અંદાજ

છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતીય મસાલા ફિલ્મોમાં ખલનાયક જેવા નાયકનો ચલણ ઘણો વધી ગયો છે। અલગ-અલગ ફિલ્મ ઉદ્યોગોના મોટા કલાકારો હવે એવા પાત્રો ભજવી રહ્યા છે...

આદિત્ય બિરલા કેપિટલે વૃદ્ધિ માટે રૂ. 4,000 કરોડની ઇક્વિટી મૂડી ઊભી કરી

તેનો ઉદ્દેશ મૂડીઆધાર વધારવાનો અને આગામી તબક્કાની વૃદ્ધિ માટેની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. SEBI ICDRના નિયમો મુજબ, પ્રેફરેન્શિયલ ઇશ્યૂ ઇક્વિટી શેરદીઠ રૂ. 356.02ના ભાવે હાથ ધરવામાં આવશે, જે શેરધારકો, અન્ય જરૂરી મંજૂરીઓ અને પરંપરાગત સ્થિતિસંજોગોને આધિન છે. મુંબઈ, 21 મે, 2026 : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (“ABCL”)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પ્રમોટર)ને રૂ. 2,880 કરોડના, સુરાજ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સિંગાપોર (આદિત્ય બિરલા ગ્રૂપની કંપની)ને રૂ. 200 કરોડના અને રૂ. 920 કરોડના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)ને પ્રેફરેન્શિયલ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતી.  પ્રેફરેન્શિયલ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ વૃદ્ધિલક્ષી ઉદ્દેશો પાર પાડવા થશે, જેમાં મૂડીઆધારનું વિસ્તરણ, ધિરાણ વ્યવસાય માટે ફંડની જરૂરિયાતો અને અન્ય સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો સામેલ છે, જેમ કે પેટાકંપનીઓ/સંયુક્ત સાહસો/કંપનીની એસોસિએટમાં રોકાણલક્ષી જરૂરિયાતો. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ્ બિરલાએ રોકાણ પર કહ્યું હતું કે,  “ભારતમાં આર્થિક પરિવર્તનને વેગ આપવા ધિરાણ સેવાઓ હાર્દરૂપ બની ગઈ છે, જેને મૂડીરચના, નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો અને અર્થતંત્રનું મોટા પાયે ઔપચારિકરણ વેગ આપે છે. આ ક્ષેત્રમાં પરિવર્તન થઈ રહ્યું હોવાથી વિવિધતાસભર પ્લેટફૉર્મ સાથે સંસ્થાઓ, મજબૂત વહીવનટ અને ટેકનોલોજી-સંચાલિત અમલ વૃદ્ધિને વધારે વેગ આપે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ABCLએ ધિરાણલક્ષી સેવા સાથે સંબંધિત તમામ કામગીરીઓ મોટા પાયે હાથ ધરી છે, જેથી મજબૂત ડિજિટલ ક્ષમતાઓ અને શિસ્તબદ્ધ અમલીકરણ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાયોનો પોર્ટફોલિયો ઊભો થયો છે. કંપની તમામ સેગમેન્ટમાં કાર્યરત છે, જેમાં સંસ્થાગત ક્ષમતા ઊભી કરવા લાંબા ગાળાના અભિગમ, ગ્રૂપની પોઝિશન અને ભારતના ધિરાણ ક્ષેત્રનો વિસ્તરણ અને આધુનિકીકરણના આગામી તબક્કામાં પ્રવેશનો સમન્વય થયો છે.” આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડના એમડી અને સીઇઓ સુ8 વિશાખા મૂલ્યેએ કહ્યું હતું કે, “અમે અમારી કામગીરીમાં વિશ્વાસ મૂકવા બદલ અમારા પ્રમોટરો અને IFCના આભારી છીએ. તમામ આવશ્યક જરૂરિયાતો પૂર્ણ થવાની સાથે આ મૂડીરોકાણ અમને ભારતમાં વિકાસની તકોમાં સામેલ થવા, ગ્રાહકો સાથે જોડાણને મજબૂત કરવા અને ડિજિટલ-ફર્સ્ટ સમાધાન આપવામાં સક્ષમ બનાવશે. અમારા લૉન પોર્ટફોલિયોનો લગભગ 57 ટકા હિસ્સો SMEsને આપેલી બિઝનેસ લૉનનો છે, જે આ ક્ષેત્ર પ્રત્યે અમારી મજબૂત કટિબદ્ધતાને દેખાડે છે. અમે જવાબદાર વ્યવસાયિક રીતો પર આધારિત એક સર્વસમાવેશક ધિરાણ ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. અમે વ્યક્તિઓ અને બિઝનેસને સરળતાપૂર્વક ધિરાણ આપવા, ડિજિટલ ક્ષમતાઓ અને ઇકોસિસ્ટમના મજબૂત સમાધાનો સાથે સશક્ત બનાવીએ છીએ, જેથી તેઓ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે એવો વિકાસ કરી શકે."  IFCના એશિયા અને પેસિફિકના રિજનલ વાઇસ પ્રેસિડન્ટ શ્રી સર્વેશ સુરીએ કહ્યું હતું કે, “લઘુ વ્યવસાયોનો આધાર મોટા વિચારો હોય છે અને આદિત્ય બિરલા કેપિટલ સાથે આ જોડાણ સાથે અમે એ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરીએ છીએ. રોજગારીનું સર્જન અને આર્થિક તકોને પ્રોત્સાહન વર્લ્ડ બેંક ગ્રૂપના મિશનનો મુખ્ય ભાગ છે. વિકસતાં બજારોમાં MSMEs ધિરાણની તકો સૌથી મોટી અને અત્યાર સુધી પૂરી ન થયેલી તકો પૈકીની એક છે. ABCLની મોટા પાયેની કામગીરી, 1,50,000થી વધારે મજબૂત MSME ક્લાયન્ટ અને ડિજિટલ ક્ષમતાઓ સાથે અમારો ઉદ્દેશ એ ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય માટે જવાબદાર ધિરાણ સુધી પહોંચ વધારવાનો છે, જ્યાં રોજગારની વધારે તકો છે, જેથી તેઓ રોકાણ કરી શકે, પોતાની આવક વધારી શકે, વધારે અને શ્રેષ્ઠ રોજગારીનું સર્જન કરી શકે તથા સ્થાનિક અર્થતંત્રોને મજબૂત કરી શકે. આ રોકાણ નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવા પ્રત્યે અમારી કટિબદ્ધતાને દર્શાવે છે અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ લોકો અને ઉદ્યોગસાહસોને સશક્ત બનાવે છે, જે ભારતની વિકાસગાથાને આકાર આપે છે.”

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ધમાકેદાર ટાઇટલ ટ્રેક આઉટ

વર્ષની સૌથી મોટી સ્ટારકાસ્ટ. વર્ષની સૌથી મોટું મ્યુઝિક એલ્બમ. અને હવે રાહ પૂરી થઈ ગઈ છે. જંગલી મ્યુઝિક (ટાઇમ્સ મ્યુઝિકનો એક વિભાગ) એ બોલિવૂડની બહુપ્રતિક્ષિત...

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસ લિમિટેડે શ્રી નટરાજન શ્રીનિવાસનની નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ સભ્ય તરીકે નિમણૂકની જાહેરાત કરી

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આજે યોજાયેલી બેઠકમાં શ્રી નટરાજન શ્રીનિવાસનની ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. કંપની તેના લાંબા ગાળાના વિકાસ વ્યૂહને આગળ વધારતી અને પોતાના કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તૃત કરતી આ મહત્વપૂર્ણ તબક્કે આ નિમણૂક કરવામાં આવી છે. શ્રી નટરાજન શ્રીનિવાસન એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ નેતા છે અને તેમને નાણાકીય વ્યવસ્થાપન, વ્યૂહરચના તથા વિશાળ પાયાના બિઝનેસ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે 40 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ક્વોલિફાઇડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તથા કંપની સેક્રેટરી છે. તેમણે પોતાના કારકિર્દીના મહત્વપૂર્ણ વર્ષો ભારતના અગ્રણી ઔદ્યોગિક સમૂહોમાંના એક એવા મુરુગપ્પા ગ્રુપમાં વરિષ્ઠ નેતૃત્વ ભૂમિકાઓમાં વિતાવ્યા છે. મુખ્ય કારકિર્દી ઉપલબ્ધિઓ: • ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ: એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી, જ્યાં તેમણે ફાઇનાન્શિયલ સર્વિસેસ વ્યવસાયને માર્કેટ લીડર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. • સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડ: મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે સેવા આપી, જ્યાં તેમણે કંપનીના જટિલ ટર્નઅરાઉન્ડ અને વ્યૂહાત્મક પુનઃસ્થાપનનું સફળ નેતૃત્વ કર્યું. પોતાની નિમણૂક અંગે પ્રતિભાવ આપતા શ્રી નટરાજન શ્રીનિવાસને જણાવ્યું: “સંસ્થાની યાત્રાના આ મહત્વપૂર્ણ તબક્કે આ જવાબદારી સંભાળવી મારા માટે ગૌરવની બાબત છે. વર્ષો દરમિયાન, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસે મજબૂત ગવર્નન્સ, નાણાકીય શિસ્ત અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ પર આધારિત એક સશક્ત પાયો ઉભો કર્યો છે. અનુભવી નેતૃત્વ ટીમના સહકાર સાથે, અમે ઉચ્ચ સ્તરના ઇન્ટિગ્રિટી અને શ્રેષ્ઠતાના ધોરણોને જાળવી રાખતાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જવા માટે સક્ષમ સ્થિતિમાં છીએ.”

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read