Friday, June 5, 2026
HomeGujaratદ્વારકામાં જામ્યો હોળીની માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા

દ્વારકામાં જામ્યો હોળીની માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

દેવભૂમિ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અને કાળિયા ઠાકોરના સંગાથે હોળી રમવા માટે લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે ઉત્સવમાં દેશી ભક્તોની સાથે વિદેશી મહેમાનો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. હોળીના પર્વે દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. આજે ફૂલડોલ ઉત્સવ પહેલા અનેક વિદેશી પ્રવાસીઓ પણ ભગવાનના દર્શને પહોંચ્યા હતા. તેઓએ ભારતીય સંસ્કૃતિ અને હોળીના પર્વનો આનંદ માણી, શ્રદ્ધાળુઓ સાથે ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે ભક્તિના રંગે રંગાયા હતા. દિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓને સુગમ દર્શન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, ફૂલડોલ ઉત્સવને લઈને ભાવિકો અને પદયાત્રિકો ઉમટી પડશે. ત્યારે દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો હાથી ગેટથી ગોમતી ઘાટના દર્શન કરીને છપ્પન સીડી મારફતે મંદિરમાં પ્રવેશ કરી શકશે. દર્શનાર્થીઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે હાથી ગેટથી એક કિલોમીટર સુધીનું બેરિકેટિંગ કવચ ઊભું કરવામાં આવશે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી મંદિર પરિસરમાં પણ મજબૂત સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here