Sunday, February 23, 2025
HomeWorldઅમેરિકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

અમેરિકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

બેંગ્લોર,તા. ૯
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે અમેરિકામાં કામ કરવા ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. અન્ય પરિબળો પણ આના માટે જવાબદાર રહ્યા છે. યુરોપિયન યુનિયનમાંથી ગયા વર્ષે બ્રિટનની બાદબાકી થયા બાદ અને ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે આ દેશોમાં નોકરી માટે ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ ચુક્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા અને બ્રિટનમાં જવા ઇચ્છુક અને નોકરી કરવા ઇચ્છુક ભારતીયોમાં ક્રમશઃ ૩૮ ટકા અને ૪૨ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં આ ઘટાડો નોંધાયો છે. એકંદરે નોકરીની શોધમાં વિદેશ જતાં ભારતીયોની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. વિકસિત દેશોમાં અÂસ્થર રાજકીય Âસ્થતિના પરિણામ સ્વરુપે પણ અંધાધૂંધી ફેલાયેલી છે. ભારતીયો ઘરઆંગણે નોકરીની શોધ કરવામાં હવે વધારે ધ્યાન આપી રહ્યા છે. ભારતમાં પણ વિદેશથી નોકરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એશિયા પેસિફિક પ્રદેશમાંથી ભારતમાં હવે નોકરી કરવા માટે લોકો આવી રહ્યા છે. ભારત આવી રહેલા આવા લોકોની સંખ્યામાં ૧૭૦ ટકાનો વધારો થઇ ચુક્યો છે. બ્રિટનમાંથી ભારતમાં નોકરી કરવા આવતા લોકોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, પહેલાની સરખામણીમાં ટ્રેન્ડ બદલાયો છે.માટે વધુ આવી રહ્યા છે. ભારતીય અર્થતંત્રમાં સ્થરરીતે વધારો થઇ રહ્યો છે. સાથે સાથે રાજકીય અનિશ્ચિતતાનું કોઇ વાતાવરણ નથી.
બીજી બાજુ વિકસિત દેશોમાં રાજકીય Âસ્થતિ સારી રહી નથી જેથી વિદેશમાં રહેલા કુશળ ભારતીયો લોકો ફરીથી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આજ કારણસર વિદેશમાંથી ભારતીય લોકો પરત ફરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી બાદબાકીના પરિણામ સ્વરુપે બ્રિટનમાં રહેતા અને કામ કરતા ભારતીયો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આ લોકો સ્વદેશ પરત ફરી રહ્યા છે. જર્મની અને આયર્લેન્ડ જેવા યુરોપિયન દેશો માટે પણ માટે ભારત આદર્શ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. આ બંને દેશોમાં આ ગાળા દરમિયાન ભારતમાંથી જતાં લોકોની સંખ્યામાં ક્રમશઃ ૧૦ અને ૨૦ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ અખાત જતાં ભારતીય લોકોની સંખ્યામાં ૨૧ ટકાનો નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. કારણ કે, તેલની કિંમતો ગગડી રહી છે. સાથે સાથે પશ્ચિમ એશિયામાં હાલમાં આર્થિક મંદીનું મોજુ ફરી વળ્યું છે. જા કે, કેટલાક દેશો વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છુક કર્મચારીઓ માટે ટોપ સ્થળ તરીકે છે. અમેરિકા હજુ પણ ભારતીયો માટે ટોપ સ્થળ તરીકે છે. અમેરિકામાં નોકરીની શોધ કરતા લોકોની સંખ્યા ૪૯ ટકા જેટલી છે. જ્યારે ભારતીયો જે અન્ય દેશોમાં નોકરી શોધે છે તે દેશોમાં યુએઈ, કેનેડા પણ સામેલ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here