Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadઆજથી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આરંભ થશે : માત્ર સરકારી...

આજથી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આરંભ થશે : માત્ર સરકારી વિધેયક પર ચર્ચા થશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

બુધવાર એટલે કે આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર મળવા જઇ રહ્યુ છે. જોકે, આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસની રાજકીય ભાષણબાજી સિવાય ગૃહની કામગીરી નિરસ બની રહે તેમ છે. જોકે, સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા વિપક્ષના ટુંકી મુદતના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થાય તેવી શકયતા નહીવત છે. આ ચોમાસુ સત્રમાં ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-2024, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2024 અને ગુજરાત માનવ બલિદાન અને અધોરી પ્રથા-કાળા જાદુ અટકાવવા અને તેનુ નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે. ચારેક સુધારા વિધેયકો છે પણ એક માત્ર અઘોરીપ્રથા-કાળા જાદુ અટકાવવાનું વિધેયક નવી બાબત છે. સત્રના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બન્યાં છે ત્યારે અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે. આ તરફ, વિપક્ષે સરકારને ઘેરવા તૈયારીઓ કરી છે. રાજકોટ અગ્નિકાંડ, સાયકલ ખરીદી કૌભાંડ, ફોરેસ્ટ ગાર્ડની ભરતી, બે આદિવાસી યુવકોની હત્યા સહિતના મુદ્દા ઉઠાવી વિપક્ષ ગૃહમાં હંગામો મચાવશે. વિધાનસભા સત્રને પગલે શાસક અને વિપક્ષે મોડી સાંજે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં રણનીતિ ઘડવામાં આવી હતી.આ ઉપરાંત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતીની પણ બેઠક મળી હતી. આ તરફ, શિક્ષકો, વનકર્મી,આંગણવાડી બહેનો પડતર પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસની ન્યાયયાત્રા પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શિત કરે તેવી ભીતિ છે. આ કારણોસર ગુજરાત વિધાનસભા સંકુલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આમ, આજથી શરૂ થનારુ ચોમાસુ સત્ર માત્ર ઔેપચારિક જ બની રહેશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here