Monday, May 20, 2024
HomeWorldઇમરાન ખાનને સર-એ-આમ ફાંસી આપવા માંગ તેને મુક્ત કરનાર જજને પણ હટાવવાની...

ઇમરાન ખાનને સર-એ-આમ ફાંસી આપવા માંગ તેને મુક્ત કરનાર જજને પણ હટાવવાની કરાયેલી માગણી

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img
પાકિસ્તાનમાં રાજકીય ગતિવિધિએ રફતાર પકડી છે. ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાં જામીન મળ્યા પછી વિપક્ષો એક થઈ ગયા છે. ઇમરાનની મુકિત સામે એક તરફ સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રદર્શનો થઈ રહ્યાં છે, તો બીજી તરફ સમવાયતંત્રી સંસદમાં ઇમરાનને ફાંસી આપવાની માગણી થઈ રહી છે.
નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા રાજા રિયાઝ અહમદ ખાને ઇમરાનને જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે તેને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તેને બદલે કોર્ટે તેનું સ્વાગત કરી રહી છે કે જાણે કે તે તેમનો જમાઈ હોય.
ઇમરાન ખાનની મુકિતના વિરોધમાં પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (પીડીએમ) સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રદર્શન કરી રહી છે. પીડીએમ તે વિવિધ રાજકીય પક્ષોનું સંગઠન છે. જેમાં સત્તાધારી પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ), જમીયત ઉલેમા એ ઇસ્લામ ફઝલ (જેયુઆઈએફ) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ છે. તેમણે દેશના મુખ્ય ન્યાયાધિશ વિરુદ્ધ પણ નારા બાજી કરી હતી.
તે સર્વ વિદિત છે કે ઇમરાનની ધરપકડ પછી સમગ્ર દેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે. તેમાં લાહોરમાં તો અસામાન્ય તોફાનો ફાટી નીકળ્યા હતા. (લાહોર ઇમરાનનું વતનનું શહેર છે) ત્યાં તો ૭ દિવસ સુધી કલમ ૧૪૪ લાગુ કરાઈ છે.
બીજી તરફ ઇમરાન ખાનને તુર્ત જ મુકત કરવાનો આદેશ આપનાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉમર યાતા બંદીયાલ વિરુદ્ધ પણ નારાબાજી થઈ હતી. નેશનલ એસેમ્બલીમાં પણ એક પ્રસ્તાવ પસાર કરાયો છે કે જેમાં કોર્ટના જજો વિરુદ્ધ રેફરન્સ (સંદર્ભ) તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિ રચવા માગણી કરાઈ છે. બંદીયાલનાં તે ચુકાદા પછી પાકિસ્તાન સરકાર ખુલ્લે આમ તેની વિરુદ્ધ થઈ ગઈ છે અને તેઓ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવા નિર્ણય કરાયો છે.
પાકિસ્તાનની સત્તા રૂઢ ગઠબંધન સરકારે ન્યાયપાલિકા ઉપર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો પક્ષ લેવાનો રાજકારણમાં સામેલ થવાનો અને હુમલા કરનાર હુમલાખોરોનું સમર્થન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here