Sunday, March 8, 2026
HomeIndiaઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના વિદ્યાર્થીની હત્યાથી ચકચારી...

ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના વિદ્યાર્થીની હત્યાથી ચકચારી મચી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીની હત્યાથી ચકચારી મચી ગઈ હતી. બાળકના પરિવારજનો જ્યારે શાળાએ પહોંચ્યા તો સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીનો મૃતદેહ પોતાની ગાડીમાં લઈને ભાગી ગયાં. ત્યારથી જ પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. પોલીસે સ્કૂલ સંચાલક સહિત પાંચ આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે. પોલીસની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી મુજબ, શાળાની પ્રગતિ માટે બીજા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકની બલિ દેવાનો પ્લાન હતો, પરંતુ પ્લાન ફેઇલ તલાથી તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. હાથરસ પોલીસના સૂત્રો મુજબ, બીજા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકની શાળાની બહાર ટ્યૂબવેલ પર બલિ આપવાની હતી, પરંતુ બાળકને જયારે શાળાના ઓરડામાંથી કાઢવામાં આવ્યો ત્યારે તે અચાનક જાગી ગયો હતો. તેથી ઉતાવળમાં ત્રણ લોકોએ બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી તો પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, સ્કૂલ-સંચાલકો દ્વારા બાળકની બલિ આપવાની હતી. આરોપી જ્યારે બાળકને લઈને જઈ રહ્યાં હતાં, ત્યારે બાળક અચાનક જાગી ગયું અને તેણે બૂમાબૂમ કરી મુકી. જેથી, બાળકનું ગળું દબાવીને હત્યા કરી દેવાઈ. તપાસ દરમિયાન પોલીસને તંત્ર-મંત્રનો સામાન પણ મળ્યો હતો, જેનાથી સ્પષ્ટ થયું કે, શાળામાં તંત્ર-મંત્રની પ્રેક્ટિસ થતી હતી. હત્યાનું કારણ બલિ આપીને શાળાની સમૃદ્ધિ લાવવાનું હતું. સ્કૂલ સંચાલકે શાળાની પ્રગતિ માટે દેવું પણ કર્યું હતું. સંચાલકને લાગ્યું કે, બાળકની બલિ આપવાથી શાળાની પ્રગતિ થશે. બીજા ધોરણમાં અભ્યાસ કરી રહેલાં બાળકની 22 સપ્ટેમ્બરે હત્યા કરવામાં આવી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, બાળકની બલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે પાંચ આરોપીને પૂછપરછ બાદ પૂરાવા ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here