Saturday, February 22, 2025
HomeGujaratકનીજ રેલવે સ્ટેશન પાસે ગુડ્ઝ ટ્રેનના ટેન્કરમાં ગેસ લીકેજ થતાં અફરાતફરી

કનીજ રેલવે સ્ટેશન પાસે ગુડ્ઝ ટ્રેનના ટેન્કરમાં ગેસ લીકેજ થતાં અફરાતફરી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નડિયાદ : મહેમદાવાદ નજીક કનીજ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી એક ગુડ્ઝ ટ્રેનમાં શનિવારે સાંજે પોણા ચાર વાગ્યે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. જેની જાણ થતાં જ લોકોપાયલટે તાત્કાલિક ટ્રેનને રોકી અધિકારીઓ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી મહેમદાવાદ, નડિયાદ અને કપડવંજ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસ લીકેજ રોકવાની કામગીરી હાથ ધરી હતી. મોડીસાંજ સુધી ઘટનાને કારણે અન્ય કોઈ ટ્રેનના સમયને અસર થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ગુડ્ઝ ટ્રેન શનિવારે સાંજે પોણાચાર વાગ્યે મહેમદાવાદના કનીજ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રેનમાં ફીટ કરેલા ગેસના ટેન્કર પૈકી એક ટેન્કરમાં ગેસ લીકેજ થયો હતો. જેની જાણ થતાં લોકોપાયલટે તાત્કાલિક ટ્રેનને અટકાવી તપાસ આદરી હતી. તેમજ રેલવે અધિકારીઓ તથા મહેમદાવાદ, નડિયાદ અને કપડવંજના ફાયરબ્રિગેડને જાણ કરતા તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેસ લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત બનાવની જાણ થતાં મહેમદાવાદ મામલતદાર અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે કનીજ રેલવે સ્ટેશનના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ટ્રેનમાં થયેલી ખામીનું સમારકામ ચાલી રહ્યું છે, સાત વાગ્યા પહેલા તે પૂર્ણ થઈ જશે. અત્યારસુધી આ ટ્રેનના કારણે અન્ય કોઈ ટ્રેનના સમયને અસર થઈ નથી. અન્ય ટ્રેનોની અવર-જવર ચાલુ છે. સમારકામ પૂર્ણ થતાં આ ગુડ્ઝ ટ્રેન પણ આગળ વધશે તેમ ઉમેર્યું હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here